SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પઉમચરિયની જૈન મહારાષ્ટ્રીભાષા વિશે કંઈક... લે. શાંતિલાલ છ. ઉપાધ્યાય જૈનોએ-શ્વેતાંબરોએ-જે પ્રાચીન ચરિત્રો, કથાઓ, સ્તોત્રો વિગેરે લખ્યાં છે તે બધાંની ભાષાને જૈન મહારાષ્ટ્રી એવી સંજ્ઞા અપાય છે. હાલમાં ઉપલબ્ધ એવાં જે નાટકો છે તેમાં જે મહારાષ્ટ્રી ભાષા આવે છે તે ભાષામાં અને શ્વેતાંબરોએ ઉપયોગ કરેલી ભાષામાં જરા જરા તફાવત છે એટલે જ વિદ્વાનોએ તેને “જૈન મહારાષ્ટ્રી' કહી છે. આ ભાષા ઉપર જૈન અર્ધમાગધી ભાષાનો પણ પ્રભાવ ઘણા જ પ્રમાણમાં પડ્યો છે. જૈન મહારાષ્ટ્રીમાં લખાએલાં ઘણાં પુસ્તકો મળી આવે છે અને તે બધાં પ્રાચીન છે. દા.ત., પયજ્ઞા, નિર્યુક્તિઓ, ઉપદેશમાલા વિગેરે તદુપરાંત ઘણાં ભાષ્યો, ચૂર્ણિઓ, સંગ્રહણીઓ વિગેરે જાણીતાં છે. પંડિત હરગોવિંદદાસે અનુમાન કર્યું છે કે જૈન મહારાષ્ટ્રી ક્રમશઃ પરિવર્તન પામીને મધ્યયુગની ‘વ્યંજનલોપબહુલા” એવી મહારાષ્ટ્રીમાં રૂપાન્તરિત થઈ. (જુઓ તેમનો પ્રાકૃત શબ્દ મહાર્ણવ ભાગ-૪, પૃ. ૩૨) જૈન મહારાષ્ટ્રી ભાષાનાં અમુક લક્ષણો અહિં આપવામાં આવે છે. ક ની જગ્યાએ “ગ’’ લુપ્તવ્યંજનોની જગ્યાએ “ય’ જહા અને જાવ ની સ્થાને કોઈવાર અહા અને આવ. સમાસના ઉત્તર પદની પૂર્વમાં “” તૃતીયા એકવચનનો કોઈવાર “સા” પ્રત્યય. સોચ્ચા, કિચ્ચા વિગેરે ત્યા પ્રત્યયનાં રૂપો. કડ, સંવુડ વિગેરે “ત” પ્રત્યયનાં રૂપો. આ ઉપરથી નાટકોની મહારાષ્ટ્રીમાં અને પઉમચરિયની જૈન મહારાષ્ટ્રીમાં જરા જરા તફાવત માલૂમ પડે છે. તદુપરાંત જૈન અર્ધમાગધીનો પણ પ્રભાવ જૈન મહારાષ્ટ્રી ઉપર પડ્યો હતો તે પણ જણાય છે. Jain Education International ડૉ. હર્મન યાકોબીએ પઉમચરિયની ભાષા વિષે થોડુંક તેમના એક (આગળ ઉલ્લેખાએલા) લેખમાં લખ્યું છે કે “પ્રાકૃતગ્રંથોમાં નામનાં રૂપો, ધાતુઓનાં જુદાં જુદાં રૂપો વિગેરેનો અંદર અંદર જે ગોટાળો થઈ જાય છે તે અહિં બહુ જ મોટા પ્રમાણમાં જણાય છે. દા.ત., સપ્તમી બહુવચન તૃતીયાના બહુવચનમાં વપરાયેલું છે; તુમ્ પ્રત્યયવાળાં અને ત્યા પ્રત્યયવાળાં રૂપોનો પણ ગોટાળો નજરે ચઢે છે. વળી કેટલાંક નામનાં રૂપોને પ્રત્યયો પણ લગાડવામાં આવ્યા નથી. આ ઉપરથી એમણે લખ્યું છે કે ‘પઉમચરિય’ એવી જૂની પ્રાકૃતભાષામાં લખાયું છે કે જેના ઉપર વ્યાકરણના સંપૂર્ણ સંસ્કારો પડ્યા હતા નહિ.” For Personal & Private Use Only www.jainhelibrary.org
SR No.004025
Book TitlePaumchariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorParshvaratnavijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2012
Total Pages214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy