SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પીડવાડા ૨૨૫ (૧) શ્રી મહાવીરસ્વામી ભવનું મંદિર અહીં બે જૈન મંદિરે છે, તેમાંથી એક મૂળના શ્રી મહાવીરસ્વામી પ્રભુનું મેટું મંદિર છે. તેમાં મૂહનાની પંચતીથીના પરિકર યુક્ત મનહર મૂર્તિ છે. આ પરિકર કદાચ નવું પાછળથી લગાવેલું હોય એમ લાગે છે. પણ પરિકરની ગાદી પ્રાચીન લાગે છે, તેના પર લેખ છે પણ સંવત ઘસાઈ ગયેલ છે. પ્રાયઃ ૧રમી ૧૩મી શતાબ્દિને લેખ હેવાનું અનુમાન થાય છે. તેમાં નીચે આડું ધર્મચક, તેની બે બાજુએ બે હરણ, તેના ઉપર વચ્ચે દેવી, તેની બંને બાજુએ બે હાથી અને બે સિહ છે; વળી તેની બંને બાજુએ યક્ષ અને અંબિકાદેવી છે. મૂળગભારામાં આરસની કુલ ૩ મૂર્તિઓ છે અને ધાતુની વિશી ૧ છે. ગૂઢમંડપમાં વસંતગઢથી આવેલા ધાતુના બે મોટા કાઉસગ્ગિયા સન્મુખ ભાગમાં સ્થાપન કરેલા છે. તે બંને અતિમનોહર અને પ્રાચીન આકૃતિના જણાય છે. મસ્તકના વાળ, કચ્છ–લંગટની આકૃતિ ભિન્ન પ્રકારની પ્રાચીન છે. તેમાં ડાબા હાથ તરફના કાઉસગ્ગિયાના ચરણ નીચે પિત્તળની ગાદી છે, તે પણ ઘણું જ સુંદર અને મોટા હાંશિયાવાળી છે. તેના ઉપર કમળ બનાવેલું છે અને તેના પર કાઉસિગ્ગયા છે. તે ગાદી ઊંચી ઇંચ ૧૪, લાંબી ઇંચ ૧પા, અને પહેલી ઇંચ ૧૨ છે. તેના પર કાઉસગ્ગિયાની જ માત્ર ઊંચાઈ ઇંચ ૪૦ અને પહોળાઈ ઈંચ ૧૪ છે. જમણા હાથ તરફના કાઉસિગ્નયાના ચરણ નીચે ધાતુની ગાદી ઊંચી ઈચ ૧૦, લાંબી ઈંચ ૧૪ અને પહેલી ઈચ ૧ળા છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy