SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ નાણુ ૨૧૯ યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ ૨, પ્રતિષ્ઠા વખતે નવી જ સ્થાપન કરેલી છે. આ મંદિરની પ્રતિષ્ઠા વખતે પણ બે લાખ રૂપિયાની ઉપજ થયાનું સંભળાય છે. આ ગામમાં ચામુંડા દેવીનું મંદિર હોવાથી તેના નામ ઉપરથી ગામનું નામ “ચામુડેરી” પડયું છે; એમ કહેવાય છે. આ ગામનું બીજું નામ “સાંવલેરી” પણ કહે છે. અહીં પોરવાડ શ્રાવકનાં પપ ઘરે છે. વિશા એશવાળનું ૧ ઘર છે. એક ઉપાશ્રય અને એક નવી ધર્મશાળા થઈ છે. હાલમાં લગભગ ૧૫-૨૦ વર્ષથી શા. વનેચંદ ખુમાજી તરફથી જૈન સ્કૂલ ચાલે છે. સ્કૂલ માટે નવું મકાન બંધાય છે. આ ગામમાં બે તડ છે– કુસંપ છે. ૬૦. નાણુ ચામુડેરીથી અગ્નિ ખૂણામાં ૨ માઈલ, પીંડવાડા, ઝાડીથી ૧૦ માઈલ અને બામણવાડાથી ૧૧ માઈલ દૂર “નાણા નામનું ગામ આવેલું છે, અહીંથી નાણું સ્ટેશન પશ્ચિમમાં ૧ માઈલ છે. જોધપુર રાજ્યમાં નાણા તાલુકો છે. શ્રીમહાવીરસ્વામી ભવનું મંદિર અહીં ગામના મધ્ય ભાગમાં મૂળ ના શ્રી મહાવીરસ્વામીનું ઘણું જ વિશાળ, ભવ્ય અને પ્રાચીન મંદિર આવેલું છે. મૂળ ના શ્રી મહાવીર સ્વામીની ઘણી મોટી પંચતીર્થીના સુંદર અને વિશાળ પરિકયુક્ત ભવ્ય મૂર્તિ છે. મૂર્તિ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy