SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ અબુદાચલ પ્રદક્ષિણા તથા ચોકીદારે કાયમ ખાતે ત્યાં રહી શકે એવી વ્યવસ્થા કરી. એ પછી સિરોહીના શ્રીસંઘની “શેઠ કલ્યાણજી પરમાનંદજી” નામની પેઢીએ આ તીર્થને વહીવટ હાથમાં લીધે. અને મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાનું નકકી કર્યું. સં. ૧૫ના મહા સુદિ ૧૦ થી આરસના મુખ્ય મંદિરને જીર્ણોદ્ધાર કરાવિવાનું કામ ચાલુ થયું. લગભગ ચારેક વર્ષ સુધી કામ ચાલ્યું. આરસના મંદિરમાંનું જરૂરી બધુંય કામ કરાવી લીધું, ધર્મશાળાથી આરસના મંદિર સુધી બધે રસ્તે સાફ કરા; ધર્મશાળા, અરટ અને બગીચાનું સમારકામ કરાવીને તેને ચાલુ વપરાશવાળી સ્થિતિમાં મૂકી દીધેલ છે. અહીંની ધર્મશાળા, આશરે એક હજાર માણસ ઊતરી શકે, એટલી વિશાળ છે. અહીં યાત્રાળુ રાત ગાળી શકે એવી વ્યવસ્થા છે. પૂજારી, નેકર, માળી અને બે ચોકીદાર; એમ પાંચ માણસે કાયમ ખાતે રહે છે. યાત્રાળુઓ માટે વાસણ, ગાદલાં-ગોદડાની વ્યવસ્થા પણ રાખેલી છે. મીરપુ૨: હમીરગઢને નાશ થયા પછી અહીંના ખેડૂતે, મજૂરે વગેરે અહીંથી એક માઈલ દૂર મેદાનમાં જઈને વસ્યા હશે અને તેથી આ ગામનું નામ “હમીરપુર ના અપભ્રંશથી, મુસલમાનોએ પાડવાથી અથવા અહીં વિશેષ કરીને મીંયાણું લેકેની વસ્તી હોઈ, તેઓ કદાચ “મીર” જાતિના હોય તેથી, આ ગામનું નામ “મીરપુર” પડયું હશે, એમ જણાય છે. મીરપુરમાં ફક્ત મીંયાણું અને ભીલ વગેરેની જ વસ્તી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy