SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કરેલે જ અર્થ જણવ્યું, જ્યારે કેઈએ જીવિતસ્વામી એટલે “જયવંતસ્વામી” એવો અર્થ જણા ને ઇતિહાસતત્વવેત્તા પં. શ્રીમાન કલ્યાણવિજયજી મહારાજે જણાવ્યું કે, “ભગવાનની જે મૂર્તિઓ ઉપર પરિકર હોય, જેમાં આઠ પ્રાતિહાર્યોને સમાવેશ થાય છે, એટલે કે ભગવાન સાક્ષાત વિચરતા હોય અને સમવસરણમાં દેશના દેતા હોય તે વખતે છત્ર, ચામર, સિંહાસન, પુષ્પવૃષ્ટિ, દેવદુંદુભિ, અશોકવૃક્ષ, ભામંડળ વગેરે પ્રાતિહાર્યોની સાથેસાથે જ ધર્મચક્ર, તેમજ હરણ, હાથી અને સિંહ વગેરે પરસ્પર વૈરવૃત્તિવાળાં પ્રાણીઓ પણ પ્રેમથી સાથે બેઠેલા હોય. આ બધા ભાવ પરિકરમાં દેખાડવામાં – કોતરવામાં આવે છે-એકલે પરિકરવાળી જે મૂર્તિઓ હોય તે જીવિતસ્વામીની મૂર્તિ કહેવાય. પં.શ્રી. કલ્યાણવિજયજીને આ અર્થ મને સયુતિક અને સંગત લાગે છે. અર્થાત “પરિકરવાળી જે મૂર્તિઓ હોય તે જીવિતસ્વામીની મૂતિઓ કહેવાય ” એ ફલિતાર્થ છે. આથી મેં જ્યાં જ્યાં “જીવિતસ્વામી અને ઉલ્લેખ કર્યો છે ત્યાં ત્યાં આ અર્થ સમજવાને હરેક વાચકે ખ્યાલ રાખ અને જ્યાં જ્યાં “જીવિતસ્વામી" શબ્દને ઉલ્લેખ કર્યો છે ત્યાં આ અર્થ સંગત પણ થાય છે. બ્રાહ્મણ વાડજ સિવાય એ બધા ગામોમાં મૂળનાયકજીની મૂર્તિઓ બહુ પ્રાચીન અને સુંદર પરિક રોવાળી છે. તેમાં નાદિયાનું પરિકર: તો બહુ જ સુંદર અને વિશિષ્ટ પ્રકારનું છે. આવા પ્રકારનું વિશિષ્ટ પરિકર ભારતભરના કેઈ જેન મંદિરમાં હોય એવું જાણવામાં નથી. બ્રાહ્મણવાડજીની મહાવીર સ્વામીની મૂર્તિ ઉપર હાલમાં પરિકર નથી પરંતુ ત્યાંના મંદિરની ભીંતમાં પરિકરના ઉપરને એક ભાગ ચેડી દીધેલો છે; તેથી લાગે છે કે, પહેલાં આ મૂર્તિ ઉપર પણ પરિકર હેવું જોઈએ, જે જીર્ણોદ્ધાર વખતે પાછળથી કાઢી નાખવામાં આવ્યું હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy