SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વિચરવાના નિમિત્ત અથવા કઈ ભવ્ય પ્રાણીઓના ઉપકાર નિમિત્ત, આ તરફ પધારી, બે-ત્રણ મહિના મભૂમિમાં વિચરી, પાછા મગધ દેશમાં જઈને ચોમાસું કર્યું હોય તો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી; આ પ્રમાણે માનવાથી (૧) મૂગલાનો વિ. સં. ૧૪૨૬ ને લેખ, (૨) અંચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિજીએ વિ. સં. ૧૩૦૦ લગભગમાં રચેલ અષ્ટોત્તરીને ઉલ્લેખ, (૩) આબુથી પશ્ચિમ દિશામાં આવેલા (જોધપુર સ્ટેટના) ભીનમાલ નામના ગામના શ્રી મહાવીરસ્વામી ભગવાનના પ્રાચીન મંદિરમાંના વિ. સં. ૧૩૩૪ ના લેખના પ્રારભને ઉલ્લેખ અને (૪) તપાગચ્છનાયક શ્રીમાન સેમસુંદરસૂરિજીના પ્રશિષ્ય શ્રી જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૯૭ માં રચેલા “શ્રી વસ્તુપાલ ચરિત્ર'ના આઠમા પ્રસ્તાવના પ્રારંભના આઠમા માં લખ્યું છે કે, “અબુંદ ભૂમિમાં શ્રી મહાવીર ભગવાન વિચર્યા હતા.” આ બધા ઉલ્લેખ સંગત થઈ શકે. આ ઉપરથી હું તે માને છે કે, ભગવાન અબ્દભૂમિમાં વિચર્યા હશે. છતાં એ સંબંધે વિદ્વાનો ઊહાપોહપૂર્વક પ્રામાણિક હકીકત પ્રગટ કરે, એવી આશા રાખવી અસ્થાને નથી. (૨) આ પુસ્તકમાં મંગલા, બ્રાહ્મણવાડા, નાણા, દીયાણા, નાદિયા વગેરે કેટલાક ગામોની હકીકતમાં “જીવિતસ્વામી” એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તેનો અર્થ હું પહેલાં માનતે હતો તેમ, “ભગવાનની વિદ્યમાનતામાં એ જ ભગવાનનાં જે મંદિરો અથવા મૂર્તિઓ બન્યાં હોય તેનું નામ “જીવિતસ્વામી અથવા જવસ્વામીનાં મંદિરો અથવા મૂર્તિ કહેવાય.” એ પ્રમાણે લખવામાં આવ્યો છે. ત્યાર પછી ઘણી મૂર્તિઓના શિલાલેખ તપાસતાં આજથી પાંચ-સાત સિકા પહેલાંના લેખવાળી ધાતુ મૂર્તિઓ પર પણ “જીવિતસ્વામી” શબ્દ લખેલો જોવામાં આવ્યો એટલે ઉપર જણાવેલો મારે અર્થ બરાબર નથી; એમ લાગતાં આ વિષયમાં કેટલાક વિદ્વાનોને લખી પૂછાવતાં કઈ કઈએ મેં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy