SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યા વિના રહેતું નથી. ભૂતકાળના આવા ઉલ્લેખો વર્તમાનમાં આદર્શરૂપ આદરણીય રહેવા જોઈએ, નહિતર આજે ઇતિહાસ ગાવાને કશો અર્થ સરે નહિ; એટલે આવા ઇતિહાસમાંથી વિશિષ્ટ આદર્શ તારવી સમાજના પ્રત્યેક ક્ષેત્રને સજીવન કરવાને ઉદ્દેશ માત્ર ઈતિહાસલેખનન છેએમ કહેવું અસ્થાને નથી. સમાજમાં એવા આદર્શો અપનાવાય અને ભૂતકાલીન ગૌરવ મેળવવા કટીબદ્ધ બને. આ પ્રદક્ષિણમાં આવતાં તીર્થોમાંથી બ્રાહ્મણવાડા અને હમીરગઢનાં વર્ણનની અલગ પુસ્તિકાઓ મેં તૈયાર કરેલી પ્રગટ થઈ ચૂકી છે અને જીરાવલા તેમજ કુંભારિયાજીના વર્ણનની સામગ્રી તૈયાર પડી છે, તેની પુસ્તિકાઓ અવસરે પ્રકાશિત થશે. ખુલાસે (૧) આ પુસ્તકના મંગલાના વર્ણનમાં પૃ. ૪૮ ની ટિપ્પણ નં. ૪ માં ભગવાન મહાવીરસ્વામીના વિહાર અંગે “લાઢા વિષય એટલે લાટ દેશ (ભરુચની આસપાસને પ્રદેશ) આ અર્થ જે વિદ્વાનોને માન્ય હોય તો ” આ પ્રમાણે લખ્યું છે, તે સંબંધી વિદ્વાને સાથે પૂછપરછ કરતાં વિદ્વાનોને એ અર્થ માન્ય નથી પણ લાઢા વિષય એટલે રાઢ દેશ, તે બંગાળની નજીકમાં આવેલ છે. આ વાત વિદ્વત્સમાજમાં સર્વમાન્ય છે એમ જણાવાથી મારી કલ્પના, કલ્પનામાત્ર જ કરે છે. યદ્યપિ વિર ભગવાનના ચરિત્રો ઉપરથી મહાવીર પ્રભુએ છાસ્યકાળમાં મારવાડ-ગુજરાત આદિ પ્રદેશમાં એકે ચોમાસું કર્યું નથી, તેમ મભૂમિમાં વિચર્યા હોય એવો ઉલ્લેખ જોવામાં આવતું નથી એટલે આપણે માનવું જ રહ્યું કે ભગવાને છઘસ્થકાળમાં આ તરફ એકે ચોમાસું કર્યું નથી. છતાં ભગવાન મસભૂમિમાં વિચર્યા હોય એમ માનવામાં કશી આપત્તિ જણાતી નથી; કેમકે ભગવાન ઘણું ઉગ્ર વિહારી હતા અને તેથી તેઓ મગધમાં માસું પૂર્ણ કરી, કર્મક્ષય નિમિત્તે, આ ભૂમિમાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy