SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ દશમીથી સોળમી શતાબ્દિ સુધી અને પછી ત્રુટક ત્રુટક રૂપે આ રાજપૂતાનાને પ્રદેશ જેનાથી સમૃદ્ધ હશે એમ ત્યાંનાં મંદિરે અને તેમાંથી પ્રાપ્ત શિલાલેખ ઉપરથી જણાય છે. તે તે સમયના રાજાઓએ પણ જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી જેનોને પ્રતિષ્ઠા આપી હોય એમ પણ લાગે છે. ધારાવર્ષની પત્ની શૃંગારદેવી જેવી મહારાણુએ ઝાડાલીના મંદિરના નિર્વાહ અથે સં. ૧૨૫૫ માં અરટ અને જમીન આપ્યાન, મૂંગથલાના સં. ૧૪૪૨ ના લેખમાં રાજા કાન્હડદેવના પુત્ર વીસલદેવે ત્યાંના મંદિર માટે કંઈક ભેટ કર્યાન, નાણાના ૧૬પ૯ના લેખમાં એક રાજાએ તેમના નારાયણ નામના મંત્રીને નાણું ગામ આપેલું, તે નારાયણ મંત્રીએ ત્યાંના મંદિર માટે અરટ વગેરે ભેટ ર્યું તેનો, સિરોહી રાજ્યના કાળાગરા ગામના સં. ૧૩૦૦ ના લેખમાં ચંદ્રાવતીના મહારાજાધિરાજ આહણસિંહના ખેતા નામના જૈન મંત્રીએ કાળાગરા ગામના પાર્શ્વનાથ ભગવાનના મંદિર માટે કંઈક ભેટ આપવાનું શાસન લખી આપ્યું છે, વગેરે વગેરે ઉલ્લેખે શિલાલેખોમાં પ્રશસ્તિબદ્ધ છે. કેટલાયે મંત્રીઓ ભાંડારિકે, દાણિક, સાંધિવિગ્રહિક વગેરેએ જૈન મંદિરમાં મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી છે; એ શિલાલેખીય પ્રમાણેથી એમ જણાય છે કે, જેને પહેલાં રાજકીય ક્ષેત્રમાં પણ પૂરેપૂરે ભાગ લેતા હતા. શ્રીપાલ, સિદ્ધપાલ, વસ્તુપાલ, યશવીર, યશપાલ જેવા જેન વીર મંત્રીઓ અને શ્રાવક વિદ્વાનોએ જે સાહિત્યરચના કરી છે તે ઉપરથી માલમ પડે છે કે વિદ્યાના ક્ષેત્રમાં પણ તેમનો ફાળો હતો. પણ ધીમે ધીમે એ પ્રવૃત્તિ મંદ પડતાં જૈનોનું સ્થાન રાજકીય અને વિદ્યાના ક્ષેત્રમાંથી તદ્દન વિખુટું પડી ગયું અને ભૂતકાલીન કીર્તિગાથાઓ ગાઈ વર્તમાનને ઉજાળવાનો પ્રયત્ન થવા માંડ્યો, જેને પરિણામે જૈનોની વ્યાપારિક ક્ષેત્ર સિવાય બીજાં ક્ષેત્રોમાં પહોંચ રહી નહીં. આમ, ભૂતકાળના માત્ર ખોખામાં બીજા સામર્થ્ય વિના જેને પોતાનાં જીવન મઢી રહ્યા હોય એવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy