SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ હમીરગઢ ૧૨૭ ૧૫૫૦ થી ૧૫૫૬ સુધીના લેખો કેરાયેલા છે. આ લેખમાં આ મૂળ મંદિરના કરાવનાર કે પ્રતિષ્ઠા કરનાર સંબંધીને કશે ઉલ્લેખ નથી, છતાં ઉપરના લેખેથી આ મંદિર ઉક્ત સંવત્ પહેલાં જ બનેલું છે, એમ ખાત્રીથી માની શકાય તેમ છે. જે કે નહિત્યસંશોધ ખંડ ૧, અંક ૩ માં પ્રગટ થયેલ શ્રી વીર્વાવણી (પૃ. ૮) માં લખ્યું છે કે “સંપ્રતિ રાજાએ હમીરગઢમાં શ્રી પાર્શ્વબિંબ પ્રાસાદ નિપજાવ્યો.” તથા ઉક્ત “વીરવંશાવલી” (પૃષ્ટ ર૩ માં) લખ્યું છે કે – શ્રીવીર પ્રભુજીથી રસ્મી પાટે થયેલ શ્રીજયાનંદસૂરિજી મહારાજના ઉપદેશથી પ્રાગ્વાટ મંત્રી સામતે, મહારાજા સંપ્રતિએ કરાવેલ આ મંદિરને વિસં. ૮૨૧માં જીર્ણોદ્ધાર કરાવ્યો.” ગુજરાતનાં તિહાસિક ક્ષણ નામના પુસ્તકના પૃ. ૧૧૩ પરની હકીક્ત મુજબ, જ્યારે આ ગામ (હમ્મીરપુર) દેવડા હમ્મીરે વિ. સં. ૮૦૮ માં જ વસાવ્યું છે, તે પછી મહારાજા સંપ્રતિએ અહીં મંદિર બંધાવ્યાની અને મંત્રી સામતે વિ. સં. ૮૨૧ માં તેને જીર્ણોદ્ધાર કરાવ્યાની વાત બંધબેસતી થતી નથી. છતાં વીવંરાવિસ્ટમાં આમ શા કારણથી લખાયું હશે ? તે સમજાતું નથી. કદાચ “વીરવંશાવળીમાં જણાવેલ વાત આ “હમ્મીરગઢ” માટે ન હોય, પરંતુ બીજા જ કોઈ હમીરગઢ માટે હોય અથવા કદાચ “વીરવંશાવલી” માં લખેલી હકીકત આ હમીરગઢના આ મંદિર માટે જ હેય તે પણ આ મંદિર સંપ્રતિ મહારાજાએ કરાવેલું હોય એટલું (આશરે ૨૨૫૦ વર્ષ જેટલું) પ્રાચીન તો જણાતું નથી જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy