SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીના લેખે. ૩૨૧ વરનાગની ભાર્યા દુલીના પુત્રો શેઠ છાડ અને બાહડ. તેમાંના છાપડની ભાર્યા જાસૂના પુત્ર દેવચંદ્ર, પાર્વચંદ્ર વગેરે સમસ્ત કુટુંબ સમુદાયે ભમતીની ચેપનમી દેરીના મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પિતાના આત્મકલ્યાણ માટે ભરાવી. તે સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી સમૃદ્ધિવંત-શોભાયમાન રહો, ચિરકાળ-લાંબા કાળ સુધી જયવંતી રહે, મંગલકારક થાએ અને મહાલક્ષ્મીકારક થાઓ. (૧૭૨) સં. ૧૨૩૦ ના જેઠ શુદિ ૧૦ ને રવિવારે ઉપર્યુક્ત શેઠ છાહડે પિતાની ભાય જાસૂ અને પુત્ર દેવચંદ્ર, વીરચંદ્રક, પાર્ધચંદ્રની સાથે ભમતીની ચેપનમી દેરીમાં પ્રતિમાજી સન્મુખ આરસનું તેરણ કરાવ્યું. (લે. ૧૭૧ પ્રમાણે સમસ્ત કુટુંબ સમુદાય સહિત શેઠ છાહડે ભમતીની ચપનમી દેરીમાં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સં. ૧૨૨૨ માં પધરાવી હતી. ત્યારપછી એટલે આઠ વર્ષ બાદ એમણે જ એ જ દેરીમાં મૂ. ના. જીની સન્મુખ આ આરસનું તોરણ કરાવ્યું છે. એટલે આ બન્ને લેખો એક જ ધણીના છે. આ તારણ બહુ જ સુંદર અને સૂક્ષ્મ નકશી યુક્ત છે. પણ તેના અત્યારે ફક્ત બે સ્તંભે જ વિદ્યમાન છે. ઉપરનું તારણ નષ્ટ થઈ ગયું છે. તેથી ધનવાન ગૃહસ્થોએ ખંડિત થઈ ગયેલાં ભાગને ન કરાવીને આ તરણને સંપૂર્ણ કરવા તરફ અવશ્ય ધ્યાન આપવાની જરૂર છે.) * શેઠ વરનાગ, આબુ ઉપરના દેલવાડા, અચલગઢ, એરીયા, આરણ વગેરે ગામોમાંથી કયા ગામમાં રહેતા હતા ?-તે આ લેખમાં લખ્યું નથી. તેથી જ ઘણે ભાગે તેઓ દેલવાડામાં રહેતા હશે, એમ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy