SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ અવલોકન, વિરાજમાન કર્યા છે, એવી આ (૪૫ મી) સુંદર દેરી કરાવી. ૪.૪ સં. ૧૨૪૫ માં. (૧૫૧). એ જ (૪૫ મી) દેરીના દરવાજા ઉપર એક તરફ આ નીચે આપેલા સારવાળે લેખ પણ ખોદેલ છે. અને લેખો સાથે સાથે હોવાથી અને નીચેના લેખમાં સંવત્ નહીં હોવાથી તેને જુદે નંબર આપ્યું નથી. પણ ખરી રીતે તે આ લેખ છે તે ભિન્ન જ. જો કે આમાં સંવત્ આપ્યો નથી, પણ તે જીર્ણોદ્ધાર સમયને અર્થાત્ સં. ૧૩૭૮ ને હોવાની સંભાવના થાય છે. તે લેખને સાર આ છેઃ-શાહ લાખૂના પુત્ર તિહણસિંહે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમાન કકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૫૨–૧૫૫ ) આ બને લેખે યાત્રા કર્યા સંબંધીના છે અને એક જ મિતિના છે, તેથી સાથે આપ્યા છે. બીજા લેખવાળા મુનિરાજે પણ પ્રથમ લેખવાળા શ્રાવકેના સંઘ સાથે જ યાત્રા કરવા આવ્યા હશે એમ લાગે છે. પરંતુ શ્રાવકેનાં નામેવાળે અને સાધુઓનાં નામને એમ બે લેખ જુદા જુદા દાવ્યા જણાય છે. તે લેખોને સાર આ છે – લે. ૧૫ર-સં. ૧૬૧૬ ના માહ શુદિ ૧૧ ને સોમવારે ગચ્છીય શેઠ શ્રીલાલા, હરિદાસ, શાહ સાવલ, ધના, આશાને પુત્ર ગોત્ર, બાબુ, લીંબા વગેરે સર્વની યાત્રા સફળ. (૧૫) ૪ લે. ૧૫૦ અને ૧૫૧ માં મંત્રી યશવીરે આ દેરી કરાવી એમ લખ્યું છે, એને અર્થ–એ દેરી નવી કરાવી-એમ નહીં પણ ઘણું કરીનેજીર્ણોદ્ધાર કરાવ્યો-એ સમજવો જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy