SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧. (૨૨૬ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, સહાયતા આપીશ. ૧૦. અંબિકાદેવીના આદેશથી દંડનાયક વિમલે આબુના શિખર ઉપર મંદિર બંધાવીને તેમાં વિક્રમ સંવત્ ૧૦૮૮ માં વિરાજમાન કરેલ શ્રી આદિદેવને હું વાંદુ છું. ૧૧. વિઘ, આધિ, વ્યાધિને હણનાર, નમ્ર થયેલા પ્રાણીઓને વિષે માતા સમાન અને આબુના રાજા કુંજરાજની પુત્રી એવી શ્રીમાતા–કન્યાકુમારી તમને લક્ષ્મી આપનાર થાઓ. ૧૨. આ આબુની ઉપર અચલેશ્વર મહાદેવ, વશિષ્ઠ ઋષિને અગ્નિકુંડ, ગૌમુખી ગંગા, મંદાકિની કુંડ, અને નિર્મળ પાણીવાળાં નખી તલાવ વગેરે વિવિધ પવિત્ર તીર્થો જયવંતા વર્તે છે–વિદ્યમાન છે. ૧૩. અહીંથી હવે રાજાઓનું વર્ણન શરુ થાય છે. શત્રુઓના સમૂહને નાશ કરવામાં આળસ રહિત, ચાહુવામચૌહાણના વંશરૂપી (રાત્રિવિકાસી) કમળને પ્રફુલ્લિત કરવામાં ચંદ્રસમાન અને શૂરવીરમાં અગ્રણે એ શ્રીનર્દૂલ (નાડોલ)* નગરને આસરાજ નામને રાજા થઈ ગયે. ૧૪. તેની પછી; બળવાળા શત્રુએરૂપી દાવાનળને શાંત કરવામાં–બુઝાવી નાંખવામાં મેઘસમાન, સમરસિંહ (યુદ્ધમાં સિંહ સમાન ) એ નામથી પ્રસિદ્ધિને પામેલે, દ્ધાઓમાં પ્રધાન અને ઘણું યશવાળે એ મહણસિંહ નામને તે (આસરાજ )નો પુત્ર રાજા થઈ ગયે. ૧૫. તે (મહણસિંહ)ની પછી રાજાઓની સભામાં માનનીય અને મહાપ્રતાપી “પ્રતાપમલ્લ નામને રાજા થઈ ગયે. ત્યાર પછી મારવાડ દેશને સ્વામી અને શૂરવીરમાં શિરોમણું એ તે (પ્રતાપલ્લીને પુત્ર “વીજડ'જ્ઞામને રાજા થઈ * મારવાડની-રાણકપુરની પંથતીથમાંનું નોડલ એક જૈન તીર્થ છે. બી. બી. સી. આઈ. ( મીટર ગેજ લાઈન )ના રાણી અથવા ફાલના સ્ટેશનથી ત્યાં જવાય છે. - આ વિજડ વિ. સં. ૧૩૩૩માં વિદ્યમાન હતો. તેનું બીજું નામ દશરથ રપને તેની રાણીનું નામ નામલ્લદેવી હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy