SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧. ( ૨૨૪) અ. પ્રાજૈ૦ લેખસદેહ, અને ગણપતિ-ગણેશથી જેના ચરણકમળ સેવાય છે, રાષભદેવ ભગવાનના પક્ષમાં જેમણે સ્થિરપદ–મોક્ષ સ્વીકારેલ છે, (અર્થાત્ જે મોક્ષમાં ગયેલ છે), વૃષધર્મથી શેભે છે, ભૂતિતીર્થ"કરલક્ષ્મીથી યુક્ત છે, ગણધર વડે કરીને જેમનાં ચરણકમળો સેવાય છે, યુગની આદિમાં થયેલા, ત્રણ જગતના ઉત્તમ-પ્રધાન સ્વામી એવા તે શ્રી ત્રાષભદેવ ભગવાન હમેશાં ભક્તોનાં-ભવ્ય પ્રાણુઓનાં મનને પુણ્યને માટે પ્રકુલિત કરે, અર્થાત પુણ્ય કરવા માટે પ્રેરે. ૧. આ બીજે લેક પણ દ્વિઅર્થી છે. આમાં ઝાડેને રાજાઓની સાથે ઘટાવેલ છે. રાજાના પક્ષમાં; જેના મૂળ મજબુત છે અથવા જેનાં પગમાં તોડા–પગરખાં વગેરે છે, ઢાલથી યુક્ત, તરવાર સહિત, અને જેના ચરણમાં રક્ષા કરવામાં તત્પર એવી ઘણી સેનાએ છે, એવા પ્રકારના રાજાઓથી જેમ આ ગિરિરાજ સેવાય છે–રાજા-મહારાજા ત્યાં આવીને રહે છે તેમ; જેનાં મૂળ ઘણુ ઉંડા-મજબુત છે અથવા જેના થડ પાસે ક્યારા અથવા ચેતરા બાંધેલા છે, ફળવાળાં, પાંદડાંવાળાં અને જેનાં થડ– મૂળની પાસે પાણીમાં ઘણું ઝરણું વહે છે એવા પ્રકારને બધા પર્વતેમાં રાજા સમાન આ આબુ ગિરિરાજ સમૃદ્ધિવંત થાઓ. ૨. આ આબુ ઉપરના વશિષ્ઠ ઋષિના હોમ કરવાના અગ્નિ કુંડમાંથી ઉત્પન્ન થયેલ, દુનિયાના પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર રહેનાર અને શત્રુઓના સમૂહનું મંથન કરવાથી કૃતકૃત્ય થયેલ આ પૃથ્વી ઉપર આગળ પરમાર નામને પુરૂષ થઈ ગયે. ૩. તેના વંશમાં, * પર + માર = શત્રુઓને મારનાર હોવાથી તેનું નામ “પરમાર પડયું, અને તેના વંશમાં ઉત્પન્ન થયેલા રાજપુતો “પરમાર' કહેવાયા, એમ રાજપુતે માને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy