SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ त्रिषष्टिशलाकापुरुषचरित्रम् १७५ અનર્થને માટે થાય છે, સ્વભાવથી વિમલ પ્રશંસનીય કલાવાળો કોઈક અગણ્ય પુણ્યવડે ચંદ્ર જેમ સમુદ્રની તેમ પિતાની વૃદ્ધિના જ નિમિત્તની ઉન્નતિ કરે છે. ૧૧૩. પ્રાપ્ત કરાયેલા જે આ કામો સુખ છે એ પ્રમાણે જડ માણસો વડે પ્રથમ ખ્યાતિ કરાઈ છે, વ્યાધિમાં પથ્ય વગેરેની જેમ ખરેખર આ કામો સુખ નથી, લોકોત્તર સુખ તો બીજું જ છે, જેની આગળ તે સ્વર્લોકનું પણ અમૃત ઝેરસમાન છે અને શક્રેન્દ્રના ભોગો રોગ જેવા છે. ૧૧૪. કોઈક (મનુષ્ય) મોટાઅગ્નિમાં શરીરને નાખે છે અને નિષ્ફર હૃદયને શસ્ત્રો વડે ભેદે છે, પણ સંયમિત ઈન્દ્રિયવાળા ભાગ્ય વગરનાઓ સમતાને માટે વૈરાગ્યથી તપમાં ધુરાને ધારણ કરતા જ નથી. ૧૧૫. હણાયો છે મોહરૂપી મોટા ઝેરનો પ્રચાર જેના વડે એવા સુમતિજિનના ચરિત્રરૂપી તાઠ્યમંત્રનો કરાયો છે આદર જેના વડે એવો જે મનુષ્ય હૃદયમાં વહન કરે છે, તેનો કુવાસના રૂપી નાગપાશ ખરેખર તૂટી જાય છે. ૧૧૬. જેના જન્મસમયે હૃદયમાં દયા આદિ ગુણો વડે ખુશ થવાયું, જેના શરીરની સાથે ધર્મ વડે વૃદ્ધિ થઈ, જેની દીક્ષા વડે શિવપૂરીમાં પતાકા બંધાઈ તે પાપભજિન સજ્જનોને સર્વોપરિતા આપે. ૧૧૭. અતિ ઉવલ પ્રકૃતિવાળા એકદમ જ લોકોત્તર વૃદ્ધિને પામેલા, ચપળ સ્વભાવવાળા (મોહને જીતવામાં ચપળ સ્વભાવવાળા) વર્ષાઋતુના જળના પરપોટાની જેમ ક્ષણવિનશ્વરતાને ભજનારા મનુષ્યો લાંબો કાળ સ્થિતિને ધારણ કરનારા થતા નથી. ૧૧૮. વિનય સહિત પુત્રો, સ્નેહી સ્ત્રી, નવાયા પ્રાપ્ત સંપત્તિ, અનુરૂપ ગુણો, રોગ વગરનું શરીર, સમાધિમાં રતિ મનુષ્યોના શુભવૃક્ષના આ પ્રથમ અંકુરા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.003692
Book TitleTrishashti Shalaka Purush Charitram
Original Sutra AuthorN/A
AuthorJineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year2008
Total Pages234
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy