SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ त्रिषष्टिशलाकापुरुषचरित्रम् १६७ ૬૮. પુન્ય વડે જ જીવોના વૈભવની પ્રાપ્તિ થાય છે), એ પ્રમાણે જાણતા હોવા છતાં પણ અલ્પબુદ્ધિવાળો આ લોક ત્યાં (પુન્ય ઉપાર્જન કરવામાં) નિરત થતો નથી, પરંતુ મોહવાળો આળસુ થાય છે, વાયુની જેમ આ આયુષ્ય અસ્થિર છે. એ પ્રમાણે નથી જાણતો, નજીકમાં રહેલ મૃત્યુને પણ ધ્યાનમાં રાખતો નથી અને નજીકમાં રહેલી વૃદ્ધાવસ્થાને પણ માનતો નથી. ૬૯. હે દેવ ! તમારા કાર્યથી દોડતા એવા ઘોડાના ખુરથી ખોદાયેલી ઉડતી ધૂળથી હમણાં ભુલા પડેલા (સૂર્યના) સાત ઘોડા વડે વક્રગતિને પમાઈ છે (તેથી) સૂર્ય (તેમને સીધા રસ્તે ચાલવાનું) શીખવે છે. ૭૦. હે દેવ ! સંપૂર્ણ રાજ્યવાળી એવી પૃથ્વી પણ આપના વડે વશ કરાઈ છે, ખરેખર પવિત્ર પુરુષોનો આથી મહાન અહીં કોઈ વિષય નથી, સૂર્યની જેમ તમારી યાત્રા ક્યાંય પણ અટકતી નથી, તેથી બધા દેવો અને વિદ્યાધરો મસ્તક ઉપર તમારી સેવાને વહન કરે. ૭૧. બધા તમારા પૂર્વજો એવા કુલકરોના વિચાર કરતાની સાથે જ ઈચ્છિત ફળને કલ્પવૃક્ષની અંદર રહેલા દેવો આપતા હતા. તે ખેડુતો વડે જાણે વૃક્ષની અંદર રહેલી લજ્જાને પણ પ્રગટ કરીને આજે કરરૂપી દંડ અપાય છે. તેથી હે સ્વામી ! આપના વડે આ ત્યાગ કરાયા. ૭૨. ૧. નૈસર્પ, ૨. પાંડક, ૩. પિંગલ, ૪. સર્વરત્ન, ૫. મહાપદ્મ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮. માણવ અને ૯. શંખ (આ નવ નિધિઓ છે). ૭૩. હે ! મુનિઓના સમુહ વડે વંદનને યોગ્ય ચરણકમળવાળા આપના દર્શનથી પોતાને વિકટ દુર્દિનમાંથી નીકળી ગયો હોય, વિપત્તિથી જાણે જુદો થયો હોય, દુર્જનોની સંગતિથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.003692
Book TitleTrishashti Shalaka Purush Charitram
Original Sutra AuthorN/A
AuthorJineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year2008
Total Pages234
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy