SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૦) ભોજપ્રબંધ ભાષાંતર. “રૂપવંતી અને આશાલુબ્ધ (પતિના પ્રેમની આશાવાળી) તેવી સ્ત્રી ચુલા પાસે સરખી રીતે બેસી શકે નહીં, ઘડીએ ઘડીએ પતિને આવતે જેવા આંગણામાં-ફળીઆમાં જાય તેથી તે કારણે તાવડી અથવા વડાં કાચાં રહેલાં છે.” (આ હકીકત વડાં કરનારી સ્ત્રી માટે છે.) એકદા રાજવૈધે પ્રસંગોપાત રાજાને કહ્યું કે “ચૈત્રમાસના તાપથી તપેલે માણસ રૂંડવૃક્ષની છાયામાં બેસી ચણાને રોટલો અને કડવા તેલમાં કરેલી સરસવની ભાજી છાશ સાથે ખાય તે તે તરત જ મરણ પામે.” ત્યારપછી કેટલેક દિવસે ભેજરાજા ફરવા માટે નગરબહાર નીકળ્યો. ત્યાં કેક ક્ષેત્રમાં તાપથી તપેલા કેઈક ખેડુતને તેજ પ્રમાણે ભેજન કરતો જો. પછી થોડે આગળ જઈ ક્રીડા કરીને રાજા પાછા વળ્યો, તે વખતે તેણે પેલા ખેડુતને ક્ષેત્રમાં હળ હાંકતો જો, તેથી આશ્ચર્ય પામી રાજવૈદ્યને બોલાવી તે નહીં મરવાનું કારણ પૂછયું, ત્યારે વૈદ્ય કહ્યું કે “હે રાજન ! આ ખેડતો તે મનુષ્યને રૂપે રાક્ષસેજ છે. તેનું પણ જે રાજાની જેમ લાલનપાલન કરવામાં આવે તો તે પણ આવા ભેજનથી મરે.” તે સાંભળી રાજાએ તેની ખાત્રી કરવા માટે તે ખેડુતને પોતાના રાજમહેલમાં છ માસ સુધી રાખે અને તેલ મર્દન વિગેરે તથા મધુર આહાર વિગેરેવડે તેનું રાજકુમારની જેવું લાલનપાલન કર્યું. પછી એકદા રાત્રે તેની પુપચ્યામાં પેલા વેધે ઘડાનો એક વાળ ગુપ્ત રીતે નાંખે. તે તેણે તે ત્યારે જાણું. પ્રાત:કાળે તેને “આજે નિદ્રા આવી હતી કે નહીં?” એમ રાજઘે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે-“આજે શયામાં એક વાળ ખુંચતું હતું, તેથી આખી રાત્રી નિદ્રા આવી નથી.” તે સાંભળી વિઘે તેની ઉપર બરાબર અસર થઈ ગઈ છે એમ જાણ્યું, એટલે પ્રથમ કહ્યા પ્રમાણેનું ભેજન તૈયાર કરવા માંડ્યું. તે જોઈ પેલે ખેડુબેલે કે મને મારે હોય તો ખર્ષથી મારી નાખે, પણ આવું ભેજન મને ન આપે. તે વખતે વધે રાજાને કહ્યું કે- “જુઓ, હવે આજ આપણે તૈયાર કરાવેલું ભેજન આપશું તો તે ભેજનથી તેનું અવશ્ય મરણ થશે.” ત્યારે રાજાએ તેની ઉપર કૃપા કરી નિરંતરને માટે તેને મધુર ભેજન આપવાને બંદેબસ્ત કરી સુખી કર્યો. એકદા રાત્રે ભેજરાજા નગરની બહાર કેટલુંક દ્રવ્ય કાયમ રાખી મૂકવા માટે દાટવા ગયો. તે જાણી એક બ્રાહ્મણ પણ તેની પાછળ ગર્યો. ત્યાં રાજા ખાડો ખોદી તેમાં દ્રવ્ય નાંખવા લાગ્યા, ત્યારે બ્રાહ્મણ પણ બીજે ખાડો ખોદી તેમાં કાંકરી નાંખવા લાગ્યું. રાજાએ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy