SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય અધિકાર. (૫૯) અન્યથા થતું નથી. આ કારણને લઇને તમારા દેશમાં સ્વમમાં પણ દુકાળનું નામ દેખાતું નથી, તેથી એકદમ બાર વર્ષનો દુકાળ પાડવાની ઈચ્છાથી મને ભીમરાજાએ તમારે હાથે મારવાનું લખ્યું હશે, એટલે દુકાળ પડવાથી ધાન્ય અને પાણીના અભાવને લીધે સર્વ પ્રજા દેશનો ત્યાગ કરે તેથી તે ઉજ્જડ થાય અને તેમ થવાથી રાજા પણ રંક જે જ થઈ જાય. કહ્યું છે કે “ સર્વ પ્રજામાંથી એક ચોથો ભાગ આળસુ હોય છે, બીજે ચોથો ભાગ પાખંડથી જીવનાર હેય છે, ત્રીજે થો ભાગ રાજાને સેવક હોય છે અને બાકીનો ચેથે ભાગ ખેડુત હોય છે. એ છેલ્લા ચોથા ભાગને ઉપરના ત્રણે ભાગે હંમેશાં ભક્ષણ કરે છે એટલે તે એક ભાગ ઉપર બીજા ત્રણે ભાગને નિર્વાહ ચાલે છે, તેથી હે ભરતરાજ ! તે છેલ્લો થે ભાગ જેમ ન સદાય તેમ કરવું. માટે હે ભેજરાજા! મારા ઘાતથી ભીમરાજાને તે કાંઈ પણ હાનિ થવાની નથી; કેમકે મારી જેવા તેની પાસે તે ઘણા દૂતો છે. એટલે ખજુરાને એક પગ ભાંગે તે તેથી તેને શું નુકશાન છે ? કહ્યું છે કે “ડાહ્યા પુરૂષાએ થોડા દોષવાળું અને ઘણું ગુણવાળું કાર્ય કરવું જોઈએ. જુઓ ! હિંસા અનિષ્ટ છે તેપણુ આખી પૃથ્વીનું જીવન હોવાથી મેઘને વૃષ્ટિ કરવી પડે છે, જે કે તેથી હિંસા પણ ઘણું થાય છે. હે ભેજરાજ ! મને અહીં મરાવવાનું આ જ કારણ છે.” આ પ્રમાણેનાં ડામરનાં વચન સાંભળી ભેજરાજા ખુશી થયે અને બોલ્યો કે શાસ્ત્રમાં કહ્યું છે તે સત્ય જ છે. નીતિકારનાં વચન છે કે-“ગુણવાળું કે ગુણરહિત કાર્ય કરતાં પંડિત પ્રયત્નથી તેનું પરિસુમ શું થશે તેને અવશ્ય વિચારકરે; કારણકે વિચાર્યા વિના કરેલા કાર્યને વિપાક (પરિણામ) શલ્યની જેમ મરણપતિ દદયને દાહ કરનાર થાય છે.” જે મેં તને સહસા માર્યો હોત તો મહા અનર્થ થાત, પણ તેં આ કારણ કહ્યું તે બહુ સારું કર્યું.” એમ કહી રાજાએ તેને ઉલટી પહેરામણ આપી. પછી ડામરે કહ્યું કે “ હે રાજન! મારું વચન કરવાની તમે કબુલાત આપી છે માટે મારું વચન કરો. તે એ કે ભીમ રાજાએ લેખમાં જે લખ્યું છે તે કરે –“ ઉત્તમ માણસની વાણી હાથીના દાંતની જેમ બહાર નીકળ્યા પછી અંદર પિસતી નથી, અને નીચ માણસની વાણી કાચબાની ગ્રીવાની જેમ વારંવાર બહાર નીકળીને પાછી અંદર પેસી જાય છે. અને જે એ પ્રમાણે ન કરવું હોય તે મારૂં વરદાન હમણાં તમારી પાસે થાપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy