SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય અધિકાર (૫૭) ભીમરાજાના સેવકે તેને ભીમરાજાને લેખ આપે. તે વાંચી ભોજરાજા વિચાર કરવા લાગે કે-“આ ભીમરાજા રા માટે ડામરને માસ્વાનું લખે છે? મોટો અપરાધ હેય છતાં પણ બ્રાહ્મણને મારે ન જોઈએ. કહ્યું છે કે-સાધુ, ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને રેગ તેઓએ અપરાધ કર્યો હોય તોપણ ધીર પુરૂએ તેમને મારવા યોગ્ય નથી.” શત્રુએ મોકલેલા શાસનનો અથવા ભેંટણાને પરીક્ષા ર્યા વિના ઉપયોગ કરવો ન જોઈએ. એવું નીતિનું વચન હેવાથી હું તેને મારીશ નહીં.” એમ વિચારી તેણે તે સેવકને પાછા રવાને કરી દીધે. ચોથે દિવસે મધ્યાન્હ સમયે જેને શુભ શકુન થયા હતા એ ડામર ભોજરાજા પાસે આવી પહોંચ્યો. તે વખતે રાજા સ્નાન કરી રહ્યા હતા અને ભ્રમર જેવા શ્યામ, સ્નિગ્ધ, કમળ, કુટિલ, તેજસ્વી, સુગંધી અને લાંબા કેશને કાનપરથી ઉતારી પોતાના હસ્તપલ્લવડે તેમાંથી પાણી નીતારતા હતા. તે સમયે ડામરે તેમને પ્રણામ કર્યા. ભેજરાજાએ તેને સ્વાગતપૂર્વક કુશળ પ્રશ્ન પૂછી કહ્યું કે-“હે ડામર! ભીમ નાપિત ( હજામ) શું કરે છે ?” તે સાંભળી ડામરે વિચાર કર્યો કે-“ ક્રોધ કરશે તો પછીથી પણ મનાવાશે; પરંતુ અવસરે પ્રાપ્ત થયેલું વાકય જવા દેવું ઠીક નહીં.” એમ વિચારીને તે બોલ્યો કે “હે રાજા ! ભીના મસ્તકવાળાને મુંડવા માટે સજા ઘસે છે. તે સાંભળી રાજા ખેદ પાયે, અને તે ડામરને કાણે, કાળે, રૂપ અને ઉજ્જ જોઈ હસીને રાજાએ તેને પૂછયું કે-“હે ડામર ! કહે તારે રાજાને સંધિ તથા વિગ્રહ વિગેરે ઉપાયોની યોજના કરવા માટે તારી જેવા કેટલા દૂતો છે ?” તે બોલ્યો કે “હે માલવ દેશના સ્વામી ! ઘણું દૂતો છે, અને તે અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના ગુણવાળા છે. તેમાંથી જ્યાં જેવી ઉચિતતા હોય ત્યાં તેવા દૂતને મોકલવામાં આવે છે. આ પ્રમાણે મનમાં હસવું આવે તે ઉત્તર આપવાથી તેણે ધારાનગરીના સ્વામીને રંજિત કર્યા. આવા ઉત્તરથી પ્રસન્ન થયેલા ભેજરાજાએ તે ડામર (દૂતને લક્ષ ઈનામ આપ્યું. કલ્પવલ્લીની જેમ વચનની કળા શું શું ફળ ન આપે? કહ્યું છે કે “વપુ, વચન, વસ્ત્ર, વિદ્યા અને વૈભવ એ પાંચ વકાર મનુષ્યની ઉન્નતિના કારણ છે.” પછી રાજાએ વિચાર્યું કે-“ આ તો ભીમની અત્યંત ઉત્કૃષ્ટતા વર્ણવે છે, અને ભીમ તે આને મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy