SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ર જે. (૧૯) પેજ બંધ હતે, સગડીને વિષેજ મારીનું શ્રવણ હતું, હારને વિષેજ છિદ્ર જોવામાં આવતું હતું અને વિવાહને વિષેજ કરપીડિન-હાથ પકડવાનું હતું. પરંતુ પ્રજાઓમાં દંડ વિગેરે કાંઈપણ નહેતું. તે ધારાનગરીમાં પૂર્વ દિશાને દરવાજે કેઈને જન્મ કે મરણ થયું હોય તે પશ્ચિમ દરવાજે રહેતા સ્વજનની પણ છઠું દિવસે શુદ્ધિ થતી હતી એટલે તેને છ દિવસે ખબર પડતી હતી, એટલો તે નગરીને વિસ્તાર હતો. તે નગરીમાં એટલી બધી વસ્તી હતી કે હંમેશાં ઢીંબ જાતિના શાકના સાઠ ગાડાંઓ વેચાવા આવતા હતા, છતાં પણ કેટલાકને તે શાક મળતું હતું અને કેટલાકને તે મળતું પણ નહતું. બીજા શાક તે એટલાં વેચાવા આવતા હતા કે તેની તો સંખ્યા પણ કહી શકાય તેમ નહોતું. અનકમે જ્યાં સુધી ધારા નામ સંભળાતું હતું ત્યાંસુધી આખા જગતમાં તે પ્રસિદ્ધ થયું. આથી એમ સમજવું કે જે કેઈનું પણ નામ હજુ સુધી બાળ ગોપાળ પર્વત સંભળાતું હોય ( પ્રાત:કાળે લેવાતું હોય) તે મરી ગયે હેય પણ જીવતેજ છે. ધનિક અને પંડિતોના આધારરૂપ તે ધારાનગરીમાં જે પંડિત હોય તેજ રહી શકતા હતા, તે સિવાય બીજો કોઈ રહેતું હોય તો તેને રાજાના હુકમથી કાઢી મૂકવામાં આવતો હતો. એકદા છત્રીસ લાખ ગામવાળા કાન્યકુજ દેશમાંથી કે એક દરિદ્ર વિદ્વાન ભેજરાજાને મળવા માટે આવીને નગરીની બહાર કબ સહિત વાડીમાં ઉતર્યો. તેવામાં વરરૂચ પંડિત સાવરમાં સ્નાન કરી તેમની પાસે આવ્યા; અને તેણે પૂછયું કે “તમે કેણ છે ? અહીં કેમ આવ્યા છે ? ” વૃદ્ધ જવાબ આપે કે અમે વિદ્વાને છીએ, અને ભેજરાજાને મળવા આવ્યા છીએ. તમે અમારો એક બ્લેક લઈ જઈને ભેજરાજાને આપો. તમે અમારા બંધુ છે. વળી સત્પરૂપો પરોપકારી જ હોય છે. કહ્યું છે કે—કના હુકમથી સૂર્ય અંધકારને નાશ કરે છે ? માર્ગમાં માણસોને છાયા કરવા માટે કેણે વૃક્ષની પાસે હાથ જોડ્યા છે ? વૃષ્ટિને માટે કેણ મેઘની પ્રાર્થના કરે છે ? સર્વ સાધુજનો સ્વભાવથી જ પરહિત કરવામાં કટિબદ્ધ હોય છે. ) પંડિતે કહ્યું–બહુ સારું. રાજાને હું જણાવી શકું એ એક લેક મને કહે.” તે સાંભળી વૃદ્ધ વિચાર્યું કે –“હમણાં તે કાંઈક એવું ગ્રામ્ય જેવું જણાતું નવીન કાવ્ય કરીને કહું નહી તો પાંચસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy