SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ આંધકાર. પછી રાજાઓ કે વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને ભેજની જન્મપત્રિકા કરાવી. પછી તેનું ફળ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે-“આ ભેજ રાજા થશે અને પંચાવન વર્ષ સાત માસ ને ત્રણ દિવસ ગોડ સહિત દક્ષિણ દેશનું રાજ્ય ભેગવશે.” આ પ્રમાણે સાંભળીને મુંજરાજાએ વિચાર્યું કે-“જે આ ભેજકુમાર જીવતો રહેશે તે ખારું કે મારા પુત્રોનું રાજ્ય સર્વથા થવાનું જ નહીં, અને એ પ્રમાણે રાજ્યવિના હું જીવતાં છતાં પણ મરેલે જ છું. કહ્યું છે કે-દિયો તેની તેજ છે. પ્રસિદ્ધતાને પામેલું નામ પણ તેનું તેજ છે, અપ્રતિહત એવી બુદ્ધિ પણ તેજ છે, વચન પણ તેજ છે, છતાં માત્ર એક ધનની ઉણતા રહિત થયેલા પુરૂષ ક્ષણવારમાં જાણે બીજે જ હોય તે થઈ જાય છે એ આશ્ચર્ય છે.” વળી કહ્યું છે કે- અત્યંત દાક્ષિણ્યતાવાળા પગલે પગલે કા કરનારે અને પરના અપવાદથી ભય પામતા પુરૂષની સંપત્તિઓ દૂર જાય છે. તેથી આનો વિશ્વાસ રાખવો યોગ્ય નથી. કહ્યું છે કે- નહીં ઉત્પન્ન થયેલા ચિત્રમાં આલેખેલા અને મરણ પામેલા–આ ત્રણ પ્રકારના ક્ષત્રિય ઉપર પંડિતોએ વિશ્વાસ કરે, તે સિવાય ચોથા ઉપર વિશ્વાસ કરે ગ્ય નથી. વળી હમણાં તો આ જ નખવડે છેદી શકાય તેવો છે, પણ વૃદ્ધિ પામ્યા પછી તે કુઠારવડે પણ છેદી શકાશે નહીં.” આ પ્રમાણે વિચાર કરીને મુંજરાજે ગુપ્ત રીતે ભેજને મારી નાખવા માટે બંગાલના રાજા વત્સરાજને સાં. તે જાણી જ ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે-“રામને વનવાસ વેઠ પડ્યો, બળિ રાજા બંધનમાં પડ્યો. પાંડવોને વનમાં જવું પડ્યું, યાદવોને વિનાશ થ. નળરાજા રાજ્યથી ભ્રષ્ટ થયે તથા લંકાપતિ રાવણને કારાગૃહનું સેવન અને મરણ પ્રાપ્ત થયું. એ પ્રમાણે સર્વ જન કાળના વાશથી સર્વ કાંઈ પામે જ છે, તેમાં કોણ કોનું રક્ષણ કરી શકે છે? ચંદ્ર એ લક્ષ્મી, કસ્તુભમણિ અને પારિજાતનો સહાદર છે, સાગરનો પુત્ર છે. તેની નમ્રતાવડે પ્રસન્ન થઈ મહાદેવે તેને મસ્તક પર ધારણ કર્યો છે, તે પણ તે નિશાપતિ હજુ સુધી દવે કરેલી ક્ષીણતાને નાશ કરી શકતા નથી તો પછી પાષાણની રેખા જેવી વિધાતાની ગતિને બીજે કેણ ઓળંગી શકે ? જેની ઈચ્છાથી અમુક સ્થળરૂપ થાય છે અને સ્થળ સમુદ્રરૂપ થાય છે, ધૂળને કણિ પર્વતરૂપ થાય છે અને મેરૂ જેવો પર્વત માટીના કણરૂપ થાય છે. તૃણ વરૂપ થાય છે અને વજી તૃણ જેવું થાય છે, અગ્નિ રીતળતાને પામે છે અને હિમ અગ્નિરૂપ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy