SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૬ ક. ( ૧૮૩) આવ્યા, અને તે પ્રમાણે સમશ્યા પૂરી બતાવવાથી રાજાએ આટલુ બધું દ્રવ્ય આપ્યું, તેમાં કાંધ માણની મહત્તા નથી, તેથી તે સર્વ દ્રવ્ય માણ એકલાજ લઈ જાય તે ચોગ્ય નથી. માટે આપણે ખરી હુકીકત રાજાને જણાવીએ, કે જેથી ફરી કોઈવાર આવા અન્યાય બીજો કોઈપણ વિદ્વાન કરી શકે નહીં.” એમ વિચારી તેઓ રાજસભામાં પાછા ગયા. તેમને દ્વારપાળ રાજા પાસે લઇ ગયા. રાજાને તેમણે સમશ્યા સંબંધી ખુલાસા કરવા માટે આવ્યાનું કહ્યું, એટલે રાજાએ તેમને કહ્યું કે- હે વિપ્રો ! હું આ સમસ્યાની બાબતમાં સર્વ વાત જાણી ગયા છું, પરંતુ તમારે સત્ય વાતજ હોય તે કહી દેવી.” ત્યારે તેમણે સદ્ વૃત્તાંત યથા કહી બતાવ્યા. તે સાંભળી રાજાએ વિચાયું કે- સવ થા કાળીદાસજ મારા ભયથી ચારણના વેષે આ નગરમાં જ રહેલા છે અને તેણે આ સમરયા પૂરી કરી છે.” એમ વિચારી રાજાએ તત્કાળ ક્રીડાઉદ્યાનમાં જવા માટે પટહુ વગડાવ્યેા. તે સાંભળી સુભટા અને સામતા વિગેરે વિચારવા લાગ્યા કે અહા ! હમણાંજ રાજા મહેલમાં જઇને દેવપૂજામાં રોકાયા છે એમ સાંભળ્યુ હતું, અને પાછા તરતમાંજ ક્રીડાદ્યાનમાં જવા તૈયાર થયા તે શુ ?’એમ વિચારી વ્યાકુળ થયેલા સુભટા અને સામંતા વિગેરે ચાતરફથી આવીને એકઠા થવા લાગ્યા. રાજા અર્ધપર આરૂઢ થઇ તે વિદ્વાનોને સાથે લક્ષ્ય જે ઠેકાણે રાત્રીએ ચારણના મેળાપ થયા હતા તે ઠેકાણે આવ્યા. ત્યાં રાજાએ ચારનાં પગલાં ઓળખવામાં નિપુણ એવા પેાતાના સેવકાને કહ્યું કે— આ રસ્તે જે કોઇ માણસ રાત્રે ગયા હેાય તેનાં પગલાં હજી સુધી દેખાય છે, તેને જોઇ તેના પત્તો લાવે. ” એમ કહી તે પડતને લક્ષ લક્ષ દ્રવ્ય આપી તેમને વિદાય કરી રાજા પેાતાના મહેલમાં ગયા. પછી પેલા પગીએ રાજાની આજ્ઞા થવાથી ચાતરફ ફરતા ફરતા ગાધ કરવાં લાગ્યા. પણ પગલાંના કાંઇ પત્તો નહીં લાગવાથી તે દિગ્મૂઢ જેવા થઇ ગયા. તેવામાં સાયંકાળનો વખત થતાં કાઈ દાસી એક ફાટેલી મેાજડી હાથમાં લઈને તેને સધાવવા માટે માચીને ઘેર જતી હતી, તેને જોઇ તેઓ હર્ષ પામ્યા. તે દાસીએ તે મેાજડી માચીને આપી, તેની પાસેથી કાંઇક મીષવડે તેઓએ તે મેાજડી લઇ ધૂળવાળા માર્ગ માં મૂકી તે તેજ પગલું મળતું આવ્યું. પછી દાસીની પાછળ જઇ તેણીને વેશ્યાના ઘરમાં પ્રવેશ કરતી જોઈ તેઓએ તે વેશ્યાનું ઘર ચાતરફથી સુભટાવડે ઘેરી લીધું. પછી તત્કાળ તે વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy