SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૬ ઠે. (૧૭૧) મતિને વૈભવ એ સુંદર નથી કે જે ભાજદેવનો છે.” તે સાંભળી સે વિદ્વાને રોષ અને ચમત્કાર પામ્યા.” ત્યારે તે વિદ્વાન બાર લાખ આપવાનું કારણ કહ્યું કે–“રાજાએ શંકરની પૂજા પ્રારંભી અને દાન આપવા માંડ્યું તે વખતે તે શંકરની એક લક્ષથી જ પૂજા કરી હતી, પરંતુ તેની સાથે તેજ નામના બીજા અગ્યાર અમૂર્ત અને અપ્રત્યક્ષ શંકરને પહેલા જાણી તેમને પણ એક એક લાખ આપવા ઉચિત ધારી તે મૂર્તિમાન અને પ્રત્યક્ષ શંકર કવિને જ બારે લાખ આપ્યા. આ રાજાને અભિપ્રાય છે. તે સાંભળી તે ચમત્કાર પામ્યા. ત્યારપછી કઈ રાજસેવકે આ નવા વિદ્વાનનું સ્વરૂપ રાજા પાસે જિઈને જણાવ્યું. તે સાંભળી રાજાએ પોતાના યથાર્થ અભિપ્રાયને સાક્ષાત જાણનાર તે પુરૂષને મહેશ્વર રૂપ જ માન્યો, અને તેથી તે રાજા તરત જ સભામાં આવ્યા. તેને જોઈ તે નવીન પંડિતે તેમને “સ્વસ્તિ” કહીને આશીર્વાદ આપ્યો. રાજાએ તેને આલિંગન કરી પ્રણામ કર્યા અને પોતાના હસ્તકળવડે તેનો હાથ ઝાલી મહેલમાં લઈ જઈ ઉપરના ગવાક્ષમાં બેસી તેણે પૂછયું કેવિપ્ર ! તમારા નામે ક્યા અક્ષરોને સૌભાગ્ય પમાડ્યા છે ? અને ક્યા દેશના સજ્જને તમારા વિરહથી પીડા પામે છે ?” પંડિતે રાજાના હાથમાં કાળીદાસ એવા પિતાના નામના અક્ષરો લખ્યા. તે વાંચી રાજા ફરીથી તેના પગમાં પડ્યા. ત્યાંજ વાર્તાવિનોદ કરતાં સંધ્યાકાળ થયો; એટલે રાજાએ કહ્યું કે-“હે કાળીદાસ ! સંધ્યાનું વર્ણન કરો.” ત્યારે કાળીદાસ બોલ્યા કે-“વ્યસની માણસની વિદ્યાની જેમ કમળની લક્ષ્મી ક્ષીણ થાય છે, ખરાબ દેશમાં ગુણીજનની જેમ ભ્રમર દીનપણાને પામે છે, ખરાબ રાજાની જેમ અંધકાર લેકને પીડે છે, અને પણના ધનની જેમ ચહ્ન વ્યર્થપણાને પામે છે. તે સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપી તેની પ્રશંસા કરી કહ્યું કે જ્યાં સુધી કે પુરૂષની સાથે મિત્રી ન થઈ હોય ત્યાં સુધી તેને ઉપચાર (વિવેક) કરવો જોઈએ, પણ જ્યારે મૈત્રી થઈ જાય છે ત્યારપછી જે ઉપચાર કરવો તે તો કપટ કહેવાય છે.” કવિએ કહ્યું કે-“મનોહર અથવાળા કાવ્ય કરવામાં કવિઓને જે શ્રમ થાય છે તેને જે જાણે છે, તેણે તે કવિને સુવર્ણની ભરેલી આખી પૃથ્વી આપી એમ હું માનું છું. વળી–“સારા કવિના શબ્દનું સૌભાગ્ય શ્રેષ્ઠ કવિજ જાણુ શકે; જે કઈ જાણી શકે નહીં. કંકણ ચિતરવાનું કામ જેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy