SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૫ છે. (૧૫) કે ઇંદ્રિયોનો સમૂહ બળવાન છે, તેથી તે વિદ્વાનને પણ આકર્ષણ કરે છે. તે આ વિજય કામદેવથી પણ અધિક રૂપવાળે અને યુવાવસ્થાની ઉત્કૃષ્ટ હદને પામેલ છે તથા તે સુંદરી ગુરૂજનના મનને પણ પોતાના શરીરની 'લાવણ્યલક્ષ્મીવડે મેહ પમાડે તેવી છે, છતાં તે વિજય રાત્રી સમયે એક શયામાંજ સુતેલી અસરા જેવી મનેહર અને મણિકંકણના ભૂષણવાળી પરસ્ત્રીને જોઈ કેમ આલિંગન દેવા જેટલો પણ ક્ષેભ પાપે નહીં ?” આ પ્રમાણે વિચાર કરતાં રાજાનું મન ચકડોળે ચડ્યું. અનુક્રમે તે રાજમહેલમાં આવી સુઈ ગયા. તે રાત્રિ વ્યતીત થઈ અને પ્રાત:કાળ થયો ત્યારે પ્રભાતની ક્રિયા કરી રાજાએ ત્રણ દિવ્યની સામગ્રી તૈયાર કરાવી. પછી પોતાના અંગરક્ષકને મોકલી સ્ત્રી સહિત મલયસિંહને તથા તેના મિ વિજયને બોલાવ્યા. રાજાએ તેમને એકાંત સ્થાનમાં લઈ જઇ તેમની પાસે ત્રણ દિવ્ય કરાવ્યાં. તેમાં તે વિજય અને તે સુંદરી તપાવેલા લેહના ગેળાવડે, વિષમ વિષવાળા સને પકડવાવડ અને (મંત્રિત ) જવવડે શુદ્ધ થયા. તે જોઈ રાજાએ કહ્યું કે –“હે મલયેંદ્ર! તું વશિષ્ઠ જેવો છે અને તારી ભાર્યા અરૂંધતી જેવી છે તથા આ તારે મિત્ર વિજયે આ જગતમાં શુકદેવની જે જીવન્મુક્ત છે. આ રીતે ચમત્કાર પામેલા રાજાએ તે ત્રણેના પવિત્રપણાને લીધે તેમને ત્રણ ગામ આયાં; ત્યારે કેશાધિકારીએ તે દાન ધમપત્રમાં આ પ્રમાણે લખ્યું મલયસિંહની ગંભીરતાથી, વિજયની પવિત્રતાથી અને બાળિકાના શીયળથી પ્રસન્ન થયેલા ભોજરાજાએ ત્રણસો ગામ આપ્યાં. ઈતિ મલયસિંહ અને વિજયને પ્રબંધ. એકદા ભેજરાજા સભામાં બેઠા હતા, તે વખતે દ્વારપાળે પ્રણામ કરી રાજાને કહ્યું કે-“હે દેવ ! કે વિદ્વાન દ્વાર પાસે આવી ઉભે છે.” તે સાંભળી રાજાએ તેને પ્રવેશ કરાવવા કહ્યું. ત્યારે તે વિધાન સભામાં આવી રાજાને જોઈ તેની આજ્ઞાથી આસન પર • બેસી બોલ્યા કે –“હે ધારાનગરીના સ્વામી ભોજરાજ ! સર્વ પૃથ્વીપતિઓની ગણના કરવામાં કોતકી થયેલા આ બ્રહ્માએ હાથમાં ખડીને કટકે લઈ આકાશમાં તમારા નામની રેખા દોરી, તે રેખાજ સ્વર્ગગંગ થઈ છે અને પછી તમારી જે બીજે ભમિતિ ન જોવાથી હાથમાં રહેલ તે ખડીને કકડે પૃથ્વી પર નાંખી દીધો, તે હિમાલય પર્વત થયો છે. આ પ્રમાણે તેનું લેકેત્તર કાવ્ય સાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy