SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર પતે. (૧૭) તમે જ સમર્થ છે; અર્થાત હું મહા દરિઠી છું તેનું દારિદ્ય તમે જ દૂર કરશે.” તે સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપ્યું. ભેજરાજા રાજ્ય કરતો હતો તે અવસરે અવંતીનગરીની સમીપે રહેલા અને ધનધાન્યથી સંપૂર્ણ એવા કે ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તે ધન ઉપાર્જન કરવામાં અતિ કુશળ હતું, પરંતુ ઘણું પણ હતું. તેણે એકદા ખેતીનું કામ આરંવ્યું. તેના એક ત્રમાં ધાન્યની ઘણી સંપત્તિ થઈ, ત્યારે તેણે તે ક્ષેત્રના કેઈ ઉંચા પ્રદેશમાં બેસવાને માળે બાંધે. પછી તે વિપ્ર જ્યારે તે માધાપર ચડીને બેસતા હતા ત્યારે તેના મનમાં મેટી ઉદારતા આવતી હતી, અને જ્યારે માળા પરથી નીચે ઉતરતો હતો ત્યારે પાછી કાણતા આવતી હતી. આ પ્રમાણે નિરંતર થવાથી તે વિપ્ર ઘણો આશ્ચર્યયુક્ત થયો. પછી એકદા શ્રીજરાજ ધારાનગરીથી દિગ્યાત્રા કરવા નીકળ્યા, તે આ ગામમાં આવ્યા ત્યારે તે બ્રાહ્મણે રાજાને પિતાની આશ્ચર્યજનક વાત કહી. તે સાંભળી રાજાએ ત્યાં આવી તે સ્થાન જોયું; પરંતુ કાંઈપણ તેવું કારણ જણાયું નહીં. ત્યારે રાજા પોતે તે માળા પર ચડ્યો, તે વખતે તેની પણ ઉદારતા અધિક થઈ. તેને એ વિચાર આવ્યો કે –“ આખા જગતના મને હું પૂર્ણ કરી દઉં અને સર્વનું દારિદ્ય ચુરી નાંખું.” ત્યારપછી નીચે ઉતરી રાજાએ વિચાર્યું કે –“આ ગુણ આ ભૂમિને અથવા આ ભૂમિમાં રહેલી વસ્તુને હવે જોઈએ. કહ્યું છે કે-જળમાં તેલ, ખળ પુરૂષમાં ગુપ્ત વાત, પાત્રમાં થર્ડ પણ દાન અને બુદ્ધિમાનને વિષે શાસ્ત્ર, એ સર્વે વસ્તુ (આધાર)ની શક્તિથી પોતાની મેળેજ વિસ્તાર પામે છે.” એમ વિચારી રાજાએ તે બ્રાહ્મણને મોટા દાનવડે સંતુષ્ટ કરી તે આખું ક્ષેત્ર પિતે ખરીદી લીધું. ત્યારપછી તે માળાની નીચે ખોદાવવા માંડ્યું. તેમાંથી બત્રીશ પુતળીઓવાળું ચંદ્રકાંત મણિનું એક સિંહાસન નીકળ્યું. તે બત્રીશ હાથ લાંબું પહેલું અને આઠ હાથ ઉંચું હતું. તેને કાઢવાનો ઘણો પ્રયાસ કર્યા છતાં તે પિતાના સ્થાનથી જરા પણ ચલાયમાન થયું નહીં. ત્યારે એક મંત્રી છે કે- હે દેવ ! મહા પ્રભાવવાળું આ સિંહાસન કેનું હશે ? તે સમજાતું નથી. તેથી પ્રથમ તેની શાંતિક, પિષ્ટિક અને બલિદાન વિગેરે ક્રિયા કરીએ અને પછી તેને ખસેડીએ તે ઠીક.” તે સાંભળી રાજાએ ખુશી થઈ તેજ પ્રમાણે કરાવ્યું, એટલે તે સિંહાસન અલ્પ પ્રયાસથી જ ચાલ્યું. પછી તેને ધારાનગરીમાં લાવ્યા. અને હજાર સ્તંભોવડે શોભાયમાન રાજસભામાં સ્થાપન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy