SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ યાનાં ઘણું બંદરોથી જરૂરી માલ મંગાવી વેચવાને તથા મંગાવે તેને પુરે પાડવાને વ્યાપાર કરવા લાગ્યા. તેઓને સંતતિમાં પુત્ર નહિ હોવાથી તેઓ સં. ૧૫૮ ની સાલમાં ફરી પરણ્યા. બાદ કમાણુ વિગેરેથી સંતોષ પામીને પોતાની ચાલતી સીંગાપુરની બે દુકાન તથા પીનાંગ, સુરખાયા, મદ્રાસ, કલકત્તા અને મુંબઈની બે દુકાનો તથા કેટલીએક પેટા દુકાને પોતાના બે ભાઈઓ શ્રીયુત ઉજમશીભાઈ તથા વાડીલાલભાઈને સેંપી રીટાયર થઈ સં. ૧૯૬૧ની સાલમાં કલકત્તા મુંબઈ થઇ તેઓ પોતાના વતનમાં રાણપુર આવ્યા. વતનમાં રહીને તેઓએ અનેક પ્રકારના શુભ કામનો લ્હાવો લીધો છે તથા લે છે અને એ રીતે મેળવેલી લક્ષ્મીની સાર્થકતા કરે છે. તેઓએ પાલીતાણામાં બે ચોમાસાં પરિવાર સાથે કરી સત્સમાગમ મેળવી ધર્મક્રિયાઓ કરી છે. રાણપુરની નજીકના અળાઉ ગામમાં આચાર્યશ્રી વિજયનેમિસૂરિ મહારાજની હાજરીમાં તેમના સદુપદેશથી નૂતન દેરાસરની પ્રતિષ્ઠામાં અગ્ર ભાગ લીધો છે તથા તેની દેખરેખ રાખે છે. વળી સંધાળુ તથા સાધુ-સાધ્વીઓને પાલીતાણા જતાં આવતાં સગવડતાને ખાતર પિતાનો ઉતારો પણ સારી રકમ ખરચીને બંધાવ્યો છે. શ્રી ગિરનારજીના બે વખત રેલ રસ્તે ન્હાના સંધ કાઢયા છે. શ્રી સમેતશિખરજીનો ન્હાનો સંઘ રેલ રસ્તે કાઢી ઉપરિયાળા, ભોયણીજી, પાનસર, સેરીસા, શંખેશ્વર, તારંગાજી અને રાણકપુર વિગેરે માર્ગમાં આવતાં અનેક તીર્થસ્થળની અઢી માસ ફરી યાત્રા કરી છે. શ્રી અંતરીક્ષજી તથા કેશરિયાજીના પણ રેલ રસ્તે ન્હાના સંઘ કાઢયા છે. બે વખત દુષ્કાળ વખતે મનુષ્ય તથા પશુઓને સારી મદદ કરી છે, તેમજ રાણપુરમાં કન્યાશાળા કરી છે તથા નદી ઉપર આરે બંધાવ્યો છે. ઇત્યાદિ કામો કર્યા છે. પિતાના માતુશ્રી સાંકળીબાઈના નામથી તેમના શ્રેયાર્થે રાંઓ માટે ઉપાશ્રય બંધાવી આપ્યો છે. મોટા ઉપાશ્રયે મહાટી તપશ્ચય પ્રસંગે ઓચ્છવ તથા શાંતિસ્નાત્ર અને પોતાના ધર્મપત્ની ઝબકબાઈના વર્ષી તપના પારણું પ્રસંગે ઓચ્છવ તથા નવપદનું ઉજમા અને નવા ઘરના વાસ્તુ નિમિત્ત ઓચ્છવ તથા શાંતિસ્નાત્ર ધામધૂમથી કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy