SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૪) ભેજપ્રબંધ ભાષાંતર. હિત ઇચ્છનાર પુરૂષે શત્રુને પણ અપ્રિય વચન કહેવું નહીં. એક ટુંકારે માત્ર કરવાથી પણ માણસ દુભાય છે તે વિરૂપ વચન બેલવાથી તે કેમ દુભાય નહીં ? કહ્યું છે કે –“પ્રિય વચન બોલતાં શીખવું જોઈએ; કારણકે પ્રિય વચન બોલવાથી સર્વ કેઈ પ્રસન્ન થાય છે. જેમકે કેયલ સર્વને પ્રિય લાગે છે તે શું તેણે કોઇને કાંઇ આપ્યું છે ! ના, અને કાગડો સર્વને અપ્રિય લાગે છે તો શું તેણે કોઈનું બગાડ્યું છે ? ના. વચનથી જ પ્રિય અને અપ્રિય થવાય છે.” વળી જે મિષ્ટ વચન બોલતા હોય તેજ કાર્ય સાધી શકે છે, બીજો સાધી શકતો નથી. કહ્યું છે કે –“નિરંતર લીલાએ કરીને સુંદર અને મધુર વચન બોલવું જોઈએ. જુઓ, કેમળ અને શીતળ જળ ધીમે ધીમે મોટા પર્વતને પણ ભેદે છે.” મધુર વચન બોલવાને પ્રકાર આ રીતે કહ્યો છે-“નીચ એટલે પિતાથી નાના હોદ્દાને માણસ પણ પોતાને ઘેર આવે તે તેને કહેવું કે “આવો, આવે, આ આસન પર બેસે, કેમ ઘણે કાળે દેખાયા છે ? નગરની શી નવીન વાત છે ? તમે હાલમાં કાંઈક દુર્બળદેખાઓ છે. હું આજ તમને જેવાથી ઘણે ખુશી થયે છું.” આ પ્રમાણે ઉચિતતા કરવી તે પંડિતએ હસ્થાશ્રમીઓને સુખકારક ધર્મ કહેલ છે. એકદા ઉયિની નગરીમાં ભેજરાજા અશ્વ ખેલવવાની ફીડા કરી પુરપ્રવેશ કરતો હતો, તે વખતે આગળ માર્ગમાં કેઇ એક અંધ માણસ જ હતો. તેને આગળ ચાલનારા રાજપુરૂષે (સિ. પાઈઓ) એ “અરે આંધળા! આંધળા ! આઘો ખસ, આઘો ખસ.” ઈત્યાદિ અપ્રિય વચનેવડે હાક મારીને એક બાજુ કર્યો. અનુક્રમે રાજા તેની પાસે આવ્યું, ત્યારે રાજાએ “હે ભાભા અંધરાજ ! તમે સુખી છો ?' ઇત્યાદિ પ્રિય વચનવડે બોલાવ્યો. તે સાંભળી અંધે કહ્યું કે –“હે મહારાજા ! હવે પછી હું સુખી થઈશ; કારણકે જે જે મનુષ્ય ઉપર પ્રસન્ન મુખવાળા રાજાની દૃષ્ટિ પડે છે તે તે મનુષ્યને પવિત્રતા, કુલીનતા, ચતુરાઈ અને સુભાગ્યતા પ્રાપ્ત થાય છે. તે સાંભળી રાજાએ તેને પૂછયું કે –“હું રાજા છું એમ તમે શી રીતે જાણ્યું ? તેણે જવાબ આપે કે-“ભેજરાજા વિના આવું મધુરતા ભરેલું વચન કેણ બેલી શકે ? તમારા અધમ માણસે (સિપાઈઓ) તે હમણાજ ગાળ દેતા દેતા ગયા છે; તેથી હું જાણું છું કે તમે ભેજરાજાજ છે. જો કે મારા લલાટમાં રહેલાં નેત્રો નષ્ટ થયાં છે, પણ હૃદયનેત્ર નષ્ટ થયું નથી.” તે સાંભળી પ્રસન્ન થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy