SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ४०] भारतीय विद्या શ્વરસૂરિભિર્વિરચિત કાલિકાચાર્ય કથા સમાપ્તા” આવો ઉલ્લેખ છે. સંવત ૧૩૫ નો નોંધ્યો છે પણ અમારા ધારવા મુજબ તે પ્રતિ લખ્યાનો હોવો જોઈએ. આ બાબત સંયમમંજરી'માં પણ વિશેષ ખુલાસો જોવામાં આવતો નથી.” પાંચમા મહેશ્વરસૂરિ એ થઈ ગયા કે જેમણે “વિચાર રસાયન પ્રકરણ” (અમદાવાદના ડેલાના ઉપાશ્રયની ટીપમાં આનું નામ “વિચારણ પ્રકરણ” જોવામાં આવે છે પણ તે વિચાર રસાયન પ્રકરણ” જ હોય એમ સંભવે છે) ૮૭ ગાથામાં સંવત્ ૧૫૭૩માં રચ્યું." છઠ્ઠા મહેશ્વરસૂરિ તે દેવાનંદ ગચ્છના મહેશ્વરસૂરિ કે જેઓ સંવત્ ૧૬૩૦ માં થઈ ગયા. સાતમા મહેશ્વરસૂરિને ઉખ લીંબડીની સૂચીમાં મળી આવે છે. તેમણે “શબ્દ ભેદ પ્રકાશ” રચ્યો હતો જેનો લેખન સંવત્ વિ. સ. ૧૬૪૪ લીંબડી ભંડારવાળી પ્રતિમાં નોંધેલો છે. નવ પત્ર છે અને ૩૬૬ શ્લોક સંસ્કૃતમાં છે. આઠમા મહેશ્વરસૂરિ સંબંધેની થોડીક વિગત “જૈન ગ્રન્થાવલિમાં મળી આવે છે. તેઓ વર્ધમાન સૂરિના શિષ્ય હતા અને ૧૨૩ ગાથામાં “સિદ્ધાંતોદ્ધાર પ્રકરણ રચ્યું હતું એવો ઉલ્લેખ તેમાં છે.પ૩ “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં એમ જણાવ્યું છે કે “સિદ્ધાંત-વિચાર” અથવા “સિદ્ધાંતોદ્ધાર”(પી. ૧,૩૩) વિમલસૂરિના શિષ્ય ચંદ્રકીર્તિ ગણિએ રચ્યો હતો.૫૪ જૈન ગ્રન્થાવલિ' તો બીજા બે મહેશ્વરસૂરિઓ પણ જણાવે છે જેમાંના એકે લિંગભેદ નામમાળા ૫૫ અને બીજાએ ૩૦૦૦ શ્લોક પ્રમાણ “વિશ્વકોષ' રચ્યો હતો. આ રીતે દશ મહેશ્વરસૂરિઓ થયા. અને અગીઆરમાં મહેશ્વરસૂરિ લીંબડી ભંડારની સૂચિ પ્રમાણે એ થયો કે જેમણે સંસ્કૃતમાં “શબ્દ પ્રભેદ” નામનો ૨૦૦ શ્લોક પ્રમાણુ ગ્રંથ લખ્યો. તેના સાત પૃષ્ઠ છે. પછ આ અગીઆર મહેશ્વરસૂરિઓ પૈકી “જ્ઞાન પંચમી કથાના લખનાર મહેશ્વરસૂરિએ બીજો કોઈ ગ્રંથ લખ્યો છે કે નહિ તે તપાસવાથી કયા મહેશ્વરસૂરિ બેવડાણા છે તેની ખબર પડશે. “પંચમી કથા”ના લખનાર મહેશ્વરસૂરિએ પોતાને માટે સજ્જન ઉપા ધ્યાયના પોતે શિષ્ય હતા તે સિવાય કશું જ પ્રશસ્તિમાં જણાવ્યું નથી. છતાં પોતે વિક્રમીય અગીઆરમી સદીના પ્રથમ દશક પહેલાં થયા હતા એતો આપણે આગળ ૫૦ ઉપર્યુક્ત જે. સા. સં. ઈ. પૃ. ૫૧૮; ઉપર્યુક્ત જે. 2. પૃ. ૧૩૫૫૧ ઉપર્યુક્ત જૈ. સા. સં. ઈ. પૃ. ૬૦૬, પર જુઓ ઉપર્યુક્ત લી. ભા. 2. સુ. પૃ. ૧૪૦. ૫૩ જુઓ ઉપર્યુકત જૈ. 2. પૃ. ૧૩૬. ૫૪ જુઓ ઉપર્યુક્ત જે. સા. સં. ઈ. પૃ. ૨૭૬. ૫૫ જુઓ ઉપર્યુક્ત જે. 2. પૃ. ૩૧૨. પ૬ જુઓ ઉપર્યુક્ત જૈ. 2. પૃ. ૩૧૩. ૫૭ જુઓ ઉપર્યુક્ત લ. ભા. ગ્ર. સૂ. પૃ. ૧૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy