SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ नाणपंचमी कहा-तेना लेखको प्रतिओ अने वस्तुनो परिचय [ले० - श्रीयुत प्रो. अमृतलाल सवचंद गोपाणी, एम्. ए.] પ્રસ્તુત લેખમાં હું જે અત્યારસુધી અપ્રકટ અને અનેક દૃષ્ટિએ અપૂર્વ એવા અર્થ ગંભીર કથા - ગ્રન્થનો પરિચય આપવા માગું છું તે કથા - ગ્રન્થનું નામ “પંચમી કથા છે. આ ગ્રન્થમાં પંચમી – માહાસ્યનું વર્ણન પ્રધાનપણે કરવામાં આવેલું છે તેથી તેનું “પંચમી માહ૫’ એવું સુસંબદ્ધ બીજું નામ પણ રાખવામાં આવેલ છે.' આ કથા -ગ્રન્થ બે હજાર જેટલી ગાથામાં જૈન મહારાષ્ટ્ર પ્રાકૃતમાં લખાએલો છે. ભાષા ઉપર કવચિત અપભ્રંશની તે કવચિત્ અર્ધમાગધીની અસર પડેલી છે પણ એકંદરે જૈન મહારાણી પ્રાકતમાં આ ગ્રન્થ લખાયેલો છે એમ જરૂર કહી શકાય. સાન પંચમીના વ્રતને અનુલક્ષી કોઈએ સંસ્કૃતમાં, કોઈએ પ્રાકૃતમાં, કોઈએ અપભ્રંશમાં તો કોઈએ ગૂજરાતીમાં કથાઓ લખેલી છે. તે બધી કથાઓ કાંતો “જ્ઞાન પંચમી માહાઓ,” “પંચમીકહા,” “ભવિસ્મયત્ત કહા.” “સૌભાગ્ય પંચમી કથા’ વરદત્ત ગુણમંજરી કથા' ઈત્યાદિ નામથી પ્રચલિત છે. પરંતુ તે બધામાં મહેશ્વરસૂરિ રચિત પ્રસ્તુત કથા ઉપલબ્ધ સાહિત્યમાં કદાચ જૂનામાં જૂની હેય એમ લાગે છે. પંચમી કથાઓ મારી પાસે મહેશ્વરસૂરિ રચિત પંચમી કથાની પાટણની હસ્તલિખિત પ્રતિની જે પ્રતિલિપિ છે તે ઉપરથી એમ સ્પષ્ટ દેખાય છે કે તે પ્રતિ જેસલમીર ભંડારની ૧૦૦૯ (વિક્રમ સંવત) વર્ષમાં લખેલી તાડપત્રીય પ્રતિ ઉપરથી વિ. સં ૧૬૫૧ માં આષાઢ શુકલ તૃતીયા ને સોમવારને દિવસે પુષ્યનક્ષત્રમાં તપાગચ્છાધિરાજ ભટ્ટારક પંડિત શ્રી આનંદવિજય ગણિ શિષ્ય બુદ્ધિવિમલ ગણીએ પૂરી કરી હતી. પણ જેસલમીર ભાંડાગારીય ગ્રન્થોની સૂચી તપાસતાં માલૂમ પડે છે કે ઉપર્યુક્ત તાડપત્રીય પ્રતિનો લેખન સંવત્ ૧૧૯ મુકવામાં આવ્યો છે અને એના વર્ણનમાં સૂચીકાર પંડિત લા. ભ. ૧ જુઓ “જેસલમીર ભાંડાગારીય ગ્રન્થાનાં સૂચી” (જે. ભા. ગ્ર. સૂ) ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ (ગા. ઓ. સી) નં. ૨૧. વડોદરા, ૧૯૨૩. પૃ. ૪૪. તેને “જ્ઞાન પંચમી કથા તરીકે પણ ઓળખાવેલ છે- જુઓ “પત્તનસ્થ પ્રાચ્ચે જૈન ભાંડાગારીય ગ્રન્થ સૂચી’– પ્રથમ ભાગ (૫. ભા. ગ્ર. સૂ. ભા. ૧) ગા. ઓ. સી. નં. ૭૬, વડોદરા, ૧૯૭, પ્રાસ્તાવિક, પૃ. ૫૭. ૨ મારી પાસે જે પ્રતિલિપિ છે તે ઉપરથી તો તેમ લાગે છે. (નિરિયા ૨ તાળ વિ દત્ય રહાણ હોદ વિયં જહાજો માળે સિંહાલું ય . ૨૦ ૧૦૦) પરંતુ એક ઠેકાણે ૨૦૦૪ ગાથાનો ઉલ્લેખ પણ મળી આવે છે. તે માટે જુઓ ખાસ કરીને બૃહમિનિકા” (જૈન સાહિત્ય સંશોધક, વો. ૧, એ. ૨) માંનું નીચેનું વાકયઃ 'पक्षमी कथा दशकथानकात्मिका प्रा. मदेशरसरीया २००४ ૩ જૈન માહારાષ્ટ્ર પ્રાકૃત એ નામકરણ માટે જુઓ યાકોબી સંપાદિત “સમરાઈચ કહાની પ્રસ્તાવન (બીબ્લીઓથીકા ઇન્ડિકા સીરીઝ, વોલ્યુમ-૧૬૯) પૃ. ૨૧-૨૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy