________________
: ૧૯૦ :
સ્તુતિ તરંગિણીઃ તૃતીય તરંગ વળી પૂજા કીજે ગુરુ અંગે, સંવત્સરીદિન મનને રંગે,
બારસે સુણો એક અંગે; સાસુ જમાઈના અડીયા ને દડીયા, સમાચારીમાંહે સાંભલીયા,
ખામણે પાપજ ટળીયા, ભાવલબ્ધિસૂરિ કહે એ કરણી, શ્રીપદ મહેલ ચલણ નીસરણી
સિદ્ધાયિકા દુઃખહરણ. ૪
૪ (રાગ-વીરજિનેશ્વર અતિ અલસર) પુન્યનું પિષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામી છે, કલ્પ ઘેર પધરાવો સ્વામી, નારી કહે શિરનામી જી; કુંવર ગયવર ખધે ચઢાવી, ઢેલ નિશાન વજડા જી, સદ્દગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવે છે. ૧ પ્રથમ વખાણ ધરમસારથી પદ, બીજે સુપનાં ચાર છે, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીરજનમ અધિકાર છે; પાંચમે દીક્ષા છઠું શિવપદ, સાતમે જિન ત્રેવીશ છે, આઠમે થિરાવલી સંભલાવી, પિઉડા પૂર જગીશ છે. ૨ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજે જી, વરશીપડિક્કમણું મુનિચંદન, સંઘ સહેલ ખામીજે જી; આઠ દિવસ લગે અમર પ્રભાવના, દાન સુપાત્રે દીજે છે, ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાનસુધા રસ પીજે છે. ૩ તીરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહિધર જેમ જ, મુનિવરમાંહિ જિનવર મેટા, પરવ પજુસણ તેમ છે; અવસર પામી સાહષ્મીવચ્છલ, બહુ પકવાન વડાઈ જી, ખીમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈ જી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org