________________
મોનએકાદશીની સ્તુતિઓ
: ૧૫૯: જિન કહે જે એક મૌન એકાદશી, વર્ષો વર્ષ આરાધે છે, ચોવિહાર ઉપવાસ પિષહસું, તે શિવસંપદ સાધે છે. ૧ દશ ક્ષેત્રે પાંચ પાંચ કલ્યાણક, સર્વ મલી પચાસ છે, ચિહું કાલે તે ત્રિગુણ કરતા, થાયે દોઢસે વિલાસ જી; માસિર શુદિ એકાદશી દિને, તે જપમાલી ગણીયે છે, સંપદા સઘળી સન્મુખ થાયે, આપદા સવિ અવગણીયે છે. ૨ પ્રતિમા જ્ઞાન પૂજા ઉપગરણા, પ્રત્યેકે અગિયાર છે, ફલ પકવાન્ન મેવા બહુ ઢેવા, સ્વામીવત્સલ સાર છે; ગુરુવચને એમ મૌનએકાદશી, ઉજમણું જે કરશે જ, સુવ્રતશેઠાણીપરે તે નર, શિવકમલા સુખ હરશે જ. ૩ દેવ દેવી જે સમ્યગદષ્ટિ, શાસન સાનિધ્યકારી છે, સંઘના સકલ સમીહિત પૂરે, દેહગ દુઃખ નિવારી જી; એકાદશીતપ આરાધકને, મનકામિત સુખ આપે છે, હંસ કહે શ્રીજિન આણુમાં, મન ભવિ સ્થિર કરી આપે છે. ૪
૮ (રાગ–વિમલકેવલજ્ઞાન કમલા કલિત ત્રિભુવન હિતકરે.) શ્રીનેમિજિનવર સયલ સુખકર, યાદવકુળ શણગાર, જે કંત રાજુલનારીકે, જન્મથી બ્રહ્મચાર; જે વિશ્વરંજન વાન અંજન, શંખ લંછન સાર, એકાદશી દિન પ્રમીયે, જિન શિવદેવી મહાર. ૧ અગ્યાર પ્રતિમા દેશવિરતિ, વહ નિર્મલ ધ્યાન,
વીસ જિનવર ભક્તિ કરતાં, લહે અમર વિમાન; ઈમ બાર વર્ષ પૂર્ણ કીજે, તાતણે મંડાણ, એકાદશી દિન સ ઉત્તમ, જેન. શિવ મંડાણ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org