________________
( ૨૩ )
ચાલ ચાલવી શરૂ કરી છે. તંત્રીની આ ચાલ આ વખતે જ જોવામાં આવી છે એમ નથી; કેમકે પ્રથમ “જન તંત્રીને પક્ષપાત” નામના હેડબિલના જવાબથીજ તેમને પિતાની વક્રગતીનો પરિચય અમને આપ શરૂ કર્યો છે કેમકે તા. ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ ના જન પત્રમાં તેમણે લખ્યું હતું કે, તેઓ (બેચરદાસ) કાંઇ નવું શાસન પ્રરૂપવા કે શાસ્ત્ર રચવા માગતા નથી, તેના જવાબમાં એક મહારાજશ્રીએ તેમને પ્રથમ હેંડબિલમાં પ્રશ્ન કર્યો હતો કે, તેજ સભા ( જન ધર્મ પ્રસારક સભા) માં બેચરદાસે પિસ્તાલિસ આગમ માનવાં છોડી દીધો અને અગીઆર આગમને માનું છું, અને તેમાં પણું મિશ્રણ થયેલું છે; એવા શબ્દો જે કહેલા તે નવીન મત ( શાસન) કહેવાય કે પ્રાચીન તેજ અંકના જવાબમાં ફરી લખવામાં આવ્યું હતું કે અમને એડીટરના મિથ્યાભાવ ઉપર પુર્ણ ખેદ થાય છે કે; પૂર્વાચાર્યો ઉપર કરેલ બેચરદાસને હુમલે એમને મીઠે સાકર જેવો લાગ્યો કે જેથી તેના ઉપર કાંઇપણ નોંધ લીધી નહીં (તે વાજબી કેહવાય ખરૂં?) ત્યાર પછી તેજ અંકમાં તંત્રીએ લખ્યું હતું કે; “લેખકે પોતાને આવડયાં તેટલાં પૂર્વાચાર્યો અને સમર્થ પુરૂષોનાં નામો લખી ભોળી અને શ્રધ્ધાળુ જૈનપ્રજાને ઉશ્કેરવાને જાણે તેઓને (પૂર્વાચાર્યો આદિને) પંડિત બેચરદાસે પોતાના ભાષણમાં નિંઘા હાય ઇત્યાદિ ” આના ઉત્તરમાં તેઓની ( તંત્રીની માયા જાળને પ્રકાશ કરતાં મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, તંત્રોજી! વાચસ્પતિજીએ એવું કયાં લખ્યું છે કે બેચરદાસે પોતાના ભાષણમાં પૂર્વાચાર્યોને નિંદ્યા છે, એમણે તે એમ લખ્યું છે કે તા. ૨૫ મી મે સન ૧૯૧૯ ના પૃષ્ટ ૩૭૩ ના જન પેપરમાં જે તમસ્તરણ નામને લેખ લખે છે એમાં બેચર દાસે દેવ દ્રવ્યાદિ સિધિ નામના પુસ્તકમાં લખેલા શ્રતધર મહારાજાઓની પણ નિંદા કરતાં આચકા ખાધ નથી. કેવલી સદશ ચતુર્દશ પૂર્વધર શ્રી સ્થૂલભદ્ર મહારાજ, દરાપૂવી વાસ્વામી મહારાજ, આર્યરક્ષિતસૂરિ, પાંચ મંથના કર્તા ઉમાસ્વાતી મહારાજ, પન્નવણાકાર સ્યામાચાર્ય મહારાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org