________________
( ૧૨ )
અમારું માનવું યુકિત પુરસ્સર છે એટલે અમારે આ વિષયમાં લોકોને વધારે સમજાવવા જેવું કાંઈ રહેતું નથી. વળી તંત્રી લખે છે કે, “ સદરહુ હેંડબીલમાં અમરવિજયજીએ ન્યાયને કાટ લઈ અમારા વિચારમાં પક્ષપાત બતાવવાનો પ્રયત્ન કરતાં ઇત્યાદિ. ત ત્રીજી ! તમારા વિચારો પક્ષપાતથી ભરેલા છે. આ વિષયનું શું તમને સ્વયંભાન થતું નથી અને કદિ ન થતું હોય તે કાંઈ આશ્ચર્ય જેવું નથી; કેમકે સંનિપાતના સમયે કરેલા ચાળાઓને સનિપાતથી પ્રસ્ત થયેલ મનુષ્ય નથી જાણી શકો તેવી જ તમારી સ્થિતિ થઈ હશે; તેથી તમને માલુમ નહીં પડતું હોય પણ દુનિયા સારી રીતે દેખે છે કે, તમે પક્ષપાતથી ભરેલા છે, કેમકે તમે અમરવિજયજી મહારાજના તરફથી નિકળેલા હેડબિલને મુદ્દાસર જવાબ ન આપતાં ખોટા અંગત આક્ષેપ ઉપર ઉતરી પડ્યા છે. શું આ વાતને દુનિયાં નહીં સમજી શકે ? અને તમારા દારૂણ મૃષાવાદનું ભાન નહીં થઈ શકે? મહારાજશ્રીએ પોતાના હેડબિલમાં તમારી માયાજાળ ખુલ્લી કરી હતી તેને કાંઇ પણ ગ્ય ઉત્તર નહીં આપતાં એક મદ્યપની જેમ શાસનની હેલના કરવાવાળી ખેાટી ખેતી બાબતો લખી એવા તો ગપગેળા ગબડાવ્યા છે કે, કે ગૃહસ્થના ઉપર આવું લખાણ હેત તો લેઢાનાં ઘરેણાં પહેરી ભાડા વગરની કોટડીમાં રહેવાનો સમય આવ્યા વગર રહેતા નહીં. તંત્રીજી ! આ નીચ જુઠું લખાણ લખી તમે તમારી દુર્જનતાનું આખી દુનિયાને ભાન કરાવી આપ્યું છે. યાદ રાખજે સૂર્યના ઉપર ઘુળ નાંખવાથી નાખનારના જ ઉપર તે ધુળ પડે છે, પણ સૂર્ય સુધી પહોંચી શકતી નથી. આ વાતનો વિચાર નહીં કરતાં જેમ મનમાં આવ્યું તેમ કેવલ બકવાદ ઉપર કમ્મર બાંધી લીધી. શું તેથીજ તમારા મનની નબળાઈ સિદ્ધ નથી થઇ શકતી ! અરે ! અમને તો આવા બગભત છે એ વાતનો પુરેપુરો પતે પણ હવે જ મળે છે, કેમકે જ્યારે તમે દુધમાંથી પોરા કાઢવા જેવું લખાણ લખી મહામૃષાવાદથી લોકોને ભ્રમ જાળમાં નાખવા મોટા મોટા ગપગોળા ગબડાવો છે તેથી શું તમે શાસન હેલનાથી ડરો છે એમ સિદ્ધ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org