________________
(૧૦) ॥ जैन तंत्रीनो मिथ्या प्रलाप ॥
તા. ૨૧ મી સપ્ટેબર સને ૧૯૧૯ ના જૈનપત્રમાં પક્ષપાતી જૈન તંત્રો “ઇંદ્ર જાલમાં આહુતિ ” નામના હેડિંગથી લખેલા લેખમાં જણાવે છે કે
શાસનની હેલના કેમ ન થાય તે જ ઉદ્દેશ ઉપર અમારા કાર્યને આગલ વધારવા બહુ સંભાળ રાખતા રહ્યા છીયે ઈત્યાદિ.” . આ લેખમાં તે ત્રીજી ભોળાજનસમૂહમાં એમ સિદ્ધ કરવા માગે છે કે, અમે જૈનશાસનની હેલનાથી ઘણુજ ડરીયે છીયે; પરંતુ અમે તથા અમારા વિચારક વાચકે સારી રીતે સમજી શકયા છીયે કે, જૈન સમાજમાં હેલનાના મુખ્ય સુત્રધાર તે પોતે જ છે; કેમકે અનેક જાતની હલનામાં અને મિથ્યાત્વની પૂર્ણ પુષ્ટિમાં ભાગ લેવો એજ જૈન પત્રનું મુખ્ય કર્તવ્ય થઈ પડયું છે.
આ વિષયથી સમસ્ત આસ્તિક વર્ગ સારી રીતે પરિચિત છે, એટલે વિશેષ ન લખતાં માત્ર પૂર્વોક્ત તારિખના જૈનપત્રના વાંચનથી જ આ પત્રની નાસ્તિકતાને પુરે પરિચય મળી શકશે. કેમકે આ તારીખનું આખું જૈન પ્રાયઃ મિથ્યાત્વ પુષ્ટિના લેખેથી ભરેલું છે. અમારું એમ માનવું નથી કે આ અંકથી પ્રથમના અંકમાં મિથ્યાત્વ પુષ્ટિકારક તથા જૈન શાસનની હેલનાકારક લેખે નથી આવ્યા. પરંતુ આ વખતના જૈન અંકમાં તો પવિત્ર જૈન શાસનની હેલના અને મિથ્યાત્વ પ્રકાશના ઘણાજ લેખે છે જૈન ધર્મ સંબંધી જૈન પત્રકારને જરાપણ પ્રેમ હોતતો ગત જૈન અંકમાં અનુવાદક માવજી દામજી તરફથી મળેલા નાસ્તિક લેખને કદિપણુ પિતના પત્રમાં સ્થાન આપતા નહીં; કેમકે તે લેખ જૈન શાસનના મૂલમાં કુહાડા મારવા જેવો છે. આવા સત્યાનાશી નીચ લેખને ઝટ ઝટ લઈ લ્યો છે તેથીજ તમારા હૃદયમાં જૈન ધર્મના વિષે કેટલે પ્રેમ છે તે જાહેર થઈ ચુક્યું છે; માટે અમો જૈન શાસનના રક્ષક છીએ, અને જૈન ધર્મની હેલનાથી ડરિયે છિયે આવા ડાળ ઘાલું લેખો લખી નાહક જૈન પત્રનાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org