________________
( ૪ )
વધી તંત્રીજી એ સાધુ કેન્ફરન્સ અને વંદન વ્યવહારાદિકનો વિષય લખે છે, તે કેવલ કપલ કલ્પિત હોવાથી ઉપેક્ષણીય છે. વળી તંત્રીજી લખે છે કે, “વર્તમાન ભદ્રિક સરલ પરિણમી આચાર્ય શ્રી વિજયકમલ સૂરીજીની શાસન સેવાની લાગણીને નુકસાન ન પહોંચે ” યાદિ. તંત્રીજી! શું તમને ખબર નથી કે, આચાર્ય મહારાજની શાસન સેવાની લાગણી મિથ્યાત્વના ખંડન પરવેજ છે. આ વાતને કાઠીયાવાડ તથા ગુજરાત આદિ અનેક પ્રાંતના લકે સારી રીતે જાણે છે, અને ભાવનગરમાં પણ પિતાની નિસ્પૃહ વૃત્તિથી મિથ્યાત્વનું કેવું સચોટ ખંડન કર્યું હતું તે તમારી જાણથી બહાર નહીં જ હેય. સૂરીશ્વરજીની શાસન સેવાની લાગણીને નુકસાન પહોંચવાની કલ્પના કરે છો તેથી જ તમારૂ વંધ્યાપુત્ર અને ખરશંગ ઉત્પન્ન કરવા જેવું અલૈકિક પ્રવર્તન માલુમ પડે છે. આચાર્યશ્રી મિથ્યાત્વ ખંડનનું સ્વયં પણ પુસ્તક બનાવી રહ્યા છે જે લગભગ પાંચસે દસ પૃષ્ણ જેટલું લખાઈ ગયેલું છે; માટે આચાર્ય મહારાજ નીચ તમસ્તરણ જેવા લેખનું ખંડન કરનાર પિતાના શિષ્ય ઉપર અત્યંત આનંદથી રોમાંચિતજ થઈ રહેલા છે એજ સમજવાનું છે. અને આ વાતના વિશેષ નિશ્ચય માટે તમે જે પેમ્ફલેટને સાકર જેવું મીઠું છતાં કડવું કહે છે, તે જ પેમ્ફલેટના મંગલાચરણને અર્થ કાઈ પંડિતથી પુછી લેજે. તેમાં સાફ લખ્યું છે કે, આચાર્ય મહારાજની પ્રેરણાથી આ પુસ્તક લખું છું. વળી પત્રકારે લખ્યું છે કે, “ કે ગ્રંથમાળાના કાર્યવાહકેને ભૂલાવો ખવરાવી તેના ગ્રંથમાળાના પ્રગટ થતા ગ્રંથમાં આ મલીન પુષ્પને અંકસ્થાન આપવાની ભૂલ કરાવી જણાય છે” ઇત્યાદિ. તંત્રીજી! કોઇપણ ગ્રંથમાળાના કાર્યવાહકને ગ્રંથકારે ભુલાવ્યા નથી, પણ તમેજ પૂર્વ કર્મના ઉદયથી ભૂલભુલાઈયાના ચક્રમાં પડયા છે. અને બેચરદાસનો લખેલ તમસ્તરણ નામને નીચ લેખ લખી પિતાના છાપાને અપવિત્ર બનાવી બુદ્ધિ બગાડી બેઠા છે, જેથી એક પવિત્ર પુષ્પને મલીન માની લીધું છે. આ તે એવી વાત થઈ છે કે એક ભમરે એક ગધ્રુઇયા (ગંગા) ને કમલની સુગંધી લેવા પિતાની સાથે લઈ જવા પ્રેરણા કરી ત્યારે અવિશ્વાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org