SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ-સ્તાત્રોની વ્યાપકતા આ ચરાચર જગત્માં અનેક ધર્મોના પ્રાદુર્ભાવ તેમજ લય થયા છે અને થાય છે. આ ધર્મો ઈશ્વરવાદી હાકે અનીશ્વરવાદી હૈ।, તાપણ ઇષ્ટ વસ્તુનાં યશેાગાન તે તેમાં પણ જરૂર ગવાયાં છે અને ગવાય છે. તુતિ—તેત્રના સામાન્ય અર્થ ગુણાત્કીર્તન છે એ વાત ધ્યાનમાં લઇશું તે। એવા ભાગ્યે કાઇ દેશ આ પૃથ્વીની સપાટી ઉપર હશે કે જેના સાહિયમાં અલ્પાંશે પણ આને સ્થાન નહિ મળ્યું હાય. પ્રસ્તુતમાં વ્યાપક અર્થ ન કરતાં ઈશ્વરના ગુણાનું અનુમેાદન એટલે અર્થ કરીશું તે ખાસ કરીને આ ભરતભૂમિ ઉપર ઊગેલા ધર્મ વૃક્ષાનું સ્તાઞરૂપી સરિતામાંથી વહેતા ભક્તિ-રસથી સિંચન થયેલું વિશેષતઃ જણાશે. સ્તાત્ર-સાહિત્ય અને તેના વિકાસ— આર્ય ભૂમિના ઉપલબ્ધ સાહિત્યના વિચાર કરતાં વેદોને સૌથી પ્રાચીન માનવા એ અનુચિત નહિ ગણાય. આવી પરિસ્થિતિમાં રતુતિ-સ્તેાત્રની આદ્ય ઉત્પત્તિ માટે ઋગ્વેદસંહિતા તરફ દૃષ્ટિપાત કરતાં એના પ્રાથમિક અષ્ટકના પ્રારંભિક અનુવાકમાં આધ નવ ઋચામાં અગ્નિ-દેવની સ્તુતિ, દ્વિતીય તથા તૃતીય અનુવાકમાં ઇન્દ્રની સ્તુતિ, પાંચમામાં સ્તેાત્ર-ઉત્પત્તિ અને સ્ટેાત્ર-વર્ણન, નવમામાં ઉષઃ–પ્રાર્થના, અને સૂર્યની સ્તુતિ તથા દશમામાં વરૂણની સ્તુતિ એ પ્રમાણે અનેક સ્તુતિરૂપ ઋચા નજરે પડે છે, પરંતુ આ સ્વાભાવિક ઘટના છે, કેમકે ઋગ્ને અર્થ જ સ્તુતિ છે. બ્રાહ્મણ, ઉપનિષદ્, ગૃહસૂત્ર અને શ્રૌતસૂત્રના અવલોકનથી એમ માલૂમ પડે છે કે ધીરે ધીરે સ્તુતિઓના વિષય તરીકે પ્રાકૃતિક દૃશ્ય ન રહેતાં ઉર્દૂખલ, મુશલ ઇત્યાદિની પણ સ્તુતિ (અર્થવાદ) થવા માંડી. ભક્તિને માટે યથાયેાગ્ય રથાન મળે તેવી રીતે આ વાતાવરણ ફરતું ગયું અને રામાયણ અને મહાભારત ગ્રન્થા અરિતત્વમાં આવ્યા. પરંતુ એનાથી આ ભક્તિ–પ્રદર્શક કાર્યની પૂર્ણાહુતિ ન થતાં તે વિશેષ ઉદ્દીપ્ત બન્યું. પુરાણા લાગણી-ભક્તિ પ્રદર્શિત કરવાનું સાધન તરીકે વધારે અનકૂળ થઇ પડ્યાં. ક્રમશઃ એમાંનાં કેટલાંક વર્ણના મહાકાવ્યેાની સામગ્રીરૂપ બન્યાં; જેમકે કાલિદાસના રધુવંશના દશમા સર્ગમાં સાળમા શ્લોકથી અને કુમારસંભવના બીજા સર્ગમાં તેરમા શ્ર્લાકથી દેવા દ્વારા પરમાત્માની સ્તુતિ, ભારવિના કિરાતાર્જુનીયના અન્તિમ સર્ગમાં અર્જુન દ્વારા મહાદેવની સ્તુતિ, માધના શિશુપાલવધના ૧૪ મા સર્ગના પ્રારંભમાં ભીષ્મ દ્વારા કૃષ્ણની સ્તુતિ અને રાજાનક રક્ષાકરકૃત વિજયના ૪૭ મા સર્ગમાં દેવા દ્વારા ચણ્ડીની ૧૬૪ પો વડે સ્તુતિ. આ પ્રમાણે સ્તુતિ-રાત્રરૂપ ઉદ્યાન પવિત થયું. ભ. પ્ર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy