SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભસૂરિ ] પ્રસ્તાવના ૪૭ શાહે દેાલતાબાદના દિવાન ઉપર પત્ર લખી બહુમાનપૂર્વક તેડાવ્યા. એટલે જ્યેષ્ઠ સુદિ ૧૨ રાજયેાગે ગુરૂએ પ્રસ્થાન કર્યું. માર્ગમાં અહ્વા પપુરે દેઢ માસ સ્થિરતા કરી જૈનધર્મની પ્રભાવના કરતા કરતા પાતશાહને મલ્યા. એક દિવસે વરસતા વરસાદમાં કાદવથી ખરડાયલા પગે ગુરૂ શાહ પાસે પહોંચ્યા. શાહે મલિકાફૂર પાસે શ્રેષ્ઠ વસ્ત્રથી પગ લૂછાવ્યા. ગુરૂએ આપેલા આશિર્વાદથી શાહ ખુશ થયા. ગુરૂએ અવસર જોઈ ઉપરાક્ત મહાવીરપ્રભુની પ્રતિમાની માગણી કરી. શાહે તુગુલકાબાદના ભંડારમાંથી મંગાવી અર્પણ કરી. પાલખીમાં પધરાવી મલિકતાજદીન સરાઈમાં લાવી વાસક્ષેપ નાંખી સ્થાપિત કરી. ચૈત્ર સુદિ દશમીએ રાજયેાગે શાહને પુછી શા. ચિદેવના પુત્ર ૪.મદને કરાવેલા નંદી મહોત્સવપૂર્ણાંક પાંચ શિષ્યાને દીક્ષા આપી, અને માલારે।પાદિ ક્રિયા કરાવી. અષાઢ સુદિ ૧૦ મીએ ૧૩ નવીન જિનબિંબની પ્રતિષ્ઠા કરી. જેમાં બિબ ભરાવનારાએ તેમજ શાહ મહારાજનના પુત્ર અન્યદેવે દ્રવ્યના સદુપયાગ કર્યો. ગુરૂને હમેશાં આવતાં જતાં કષ્ટ થાય એમ સમજી શાહે પેાતાના મહેલ પાસે જ નવીન સરાય બનાવી ભટ્ટારક સરાય નામ આપ્યું અને સૂરિજીને શ્રાવકા સહિત ત્યાં રહેવા ફરમાવ્યું. ત્યાં શાહે પૌષધશાળા અને મહાવીર ચૈત્ય બનાવ્યાં. સં. ૧૩૮૯ અષાડ વિદે છના રાજ મહેાત્સવપૂર્વક ગુરૂએ પૌષધશાળામાં પ્રવેશ કર્યો. મહમ્મદશાહને પુછીને ૧૪ સાધુએ સાથે જિનદેવસૂરિને દિલ્હીમાં સ્થાપિત કરી ગુરૂએ દક્ષિણ દેશ (મરર્ફ્યુમ ડળ) તરફ વિહાર કર્યાં. શાહે સુખાસનાદિ સામગ્રી આપી, ગામેગામ ધર્મની પ્રભાવના કરતા ક્રમે કરીને દોલતાબાદ પધાર્યા. પ્રવેશ મહેાત્સવ થયા ત્યાંથી પ્રતિષ્ઠાન પુરે સંધપતિ જગસિંહ-સાહણુ–માલદેવ પ્રમુખસ`ધ સાથે વિતસ્વામી— મુનિસુવ્રત પ્રતિમાની યાત્રા કરી.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy