SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગણિ ] પ્રસ્તાવના, પ ૩ ચંદ્રકુળના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય. એમનું આચાર્યાવસ્થામાં શ્રીચંદ્રસૂરિ નામ હતું. એમણે સં. ૧૧૬હ્માં બૌદ્ધાચાર્ય દિન્નાગના ન્યાયપ્રવેશ નામના બૌદ્ધ ન્યાયગ્રંથ ઉપરની હરિભદ્રસૂરિ (પહેલા)ની વૃત્તિ પર પંજિકા રચી (પી. ૧,૮૧, પ્ર. ગા. એ. સી.), સં. ૧૧૭૧માં પિતાના ગુરૂ ધનેશ્વરસૂરિએ રચેલી જિનવલ્લભસૂરિકૃત સૂક્ષ્માથે વિચારસાર-સાર્ધશતક પરની વૃત્તિમાં સહાયતા આપી, સં. ૧૧૭૩માં જિનદાસ મહત્તરની નિશીથચૂર્ણિ પર વિદેશક વ્યાખ્યા રચી, ગુર્જરેશ્વર કુમારપાળના રાજ્યમાં સં.૧૧૨૨ના ચૈત્ર સુદિ ૧૦મીએ ૨૦૦૦ શ્લોક પ્રમાણ શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિ (જે. ૬, પી. ૧, ૩; ૩ અંગ્રેજી પ્રત ૧૪), નંદીટીકા દુર્ગપદ વ્યાખ્યા (સ. ૧૦૨૬ની પ્રત જે. ભં, માં છે. જે. ૬; પી. ૫, ૨૦૨) સં. ૧૨૨૭માં ૧૧૨૦ લેક પ્રમાણ છતકલ્પ બહતચૂર્ણિ વ્યાખ્યા, સં. ૧૨૨૮માં નિરયાવલિ (પાંચે ઉપાંગ) પર વૃત્તિ અને તે ઉપરાંત ૫૫૦ લેક પ્રમાણ ચૈત્યવંદનસૂત્રવૃત્તિ, પ્રતિષ્ઠાકલ્પ, સર્વસિદ્ધાંત વિષમ પદપર્યાય, સુખબધા સમાચારી (પ્ર. દે. લા.) આદિ અનેક ગ્ર રચ્યા છે. (જે. પ્ર. ૨૧) સાહિત્ય સર્જનમાં એમને જ મોટો ફાળો હોવાથી પદ્માવત્યષ્ટક વૃત્તિ તેમજ ઉવસગ્ગહરં સ્તોત્રની વૃત્તિ પણ એમની જ કૃતિ સંભવે છે. પરંતુ એક જ વ્યક્તિ તેના તે ગ્રંથ ઉપર સરખી રીતની બે વૃત્તિ રચે એ સંભવિત નથી લાગતું. સાક્ષરે વિચારી નિર્ણય લાવશે. ૭ સાગરચંદ્ર. આ નામની ત્રણ વ્યક્તિઓ નજરે પડે છે. તે આ પ્રમાણે – ૧ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની સભામાંના એક વિદ્વાન. સં. ૧૧૯૩માં ગોવિંદસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ રચેલા ગણરત્નમહેદધિ (પ્ર. ખં ભા. ગ્રંથ) નામના ગ્રંથમાં એમના કેટલાક શ્લોક ઉદ્દધૃત કરેલા છે તેથી એમણે સિદ્ધરાજના વર્ણન રૂપી કેાઈ કાવ્ય
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy