SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ બિહણ ] પ્રસ્તાવના. કાળમાં કાશ્મીરી પંડિત બિહણ અણહિલવાડમાં આવ્યો હતો. રાજા વૈરસિંહે તેની પ્રગાઢ વિદ્વતા જોઈને પિતાની પુત્રી શશિકળા સારૂ શિક્ષક તરીકે તેની નિમણુંક કરી. થોડા સમય પછી બિહણ રાજકન્યાના પ્રણયમાં ફસાય. જ્યારે એ સમાચાર રાજાના કાને પહોંચ્યા ત્યારે તેને પ્રણાદડની સજા કરવામાં આવી. વધસ્થળમાં બિહણને ઈષ્ટદેવનું સ્મરણ કરી લેવા સારૂ કહેવામાં આવ્યું; પરંતુ બિલ્હણે પિતાની પ્રાણેશ્વરી રાજકન્યા શશિકલાના સ્મરણમાં ઘપિત થાનાવાવોરારિ એ પદ્યથી પ્રારંભ કરી એવાં ૫૦ કો રચ્યાં. એટલામાંજ રાજાએ સહસા પિતાની મહારાણીના મોંઢાથી પિતાની કન્યા શશિકલાને પૂર્ણ પ્રેમ બિહણ પર હોવાનું સાંભળ્યું. રાજાને કેપ શાંત પડયે અને બ્રાહ્મણવધના પાપથી ભયભીત થઈને બિલ્હણને અપરાધ માફ કર્યો તથા તેની સાથે પોતાની પુત્રી શશિકળાનું લગ્ન કરી આપ્યું અને સાથે જ દ્રવ્ય-સમૃદ્ધિ આપીને તેની ક્ષમા પણ માગી.” એ સમસ્ત કથા સર્વથા કપિલ કલ્પિત છે અને તેના લેખકે બિહણના પ્રતિ મેટો અન્યાય કર્યો જણાય છે કારણકે તે સમયમાં ગુજરાતનો રાજા કર્ણ હતો. વૈરસિંહ નહિ. વૈરસિંહ ચાવડા (ચાપોત્કટ) વંશનો રાજા હતો અને બિહણના સમયમાં તેને (વૈરસિંહને) મરણું પામે ૨૦૦ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હતો.૩૭ એ ૫૦ લેકનું ખંડકાવ્ય ચૌપચાશિકા અથવા સુરતપંચાશિકાને નામથી પણ પ્રખ્યાત છે. એના બધા લેક દ્વિઅર્થી તેમાં શશિકળાના પિતાનું નામ પૃથિવીચંદ્ર આપ્યું છે ને તેને પાટણને રાજા કહ્યો છે. અને પંડિત વામનાચાર્ય ઝાલંકકર કહે છે કે કર્ણાટકમાં પંચાશિકાનું હસ્તલિખિત પુસ્તક છે તેમાં રાજાનું નામ મદનાભિરામ અને તેની દિકરીનું નામ યામિની પૂર્ણતિલકા હતું. તે બન્ને પંચાલદેશની રાજધાની લક્ષ્મી મંદિરમાં રહેતાં હતાં. - ૩૭ એણે ઈ. સ. ૮૩૮ થી ૮૪૮ સુધી ગુજરાતમાં રાજ્ય કર્યું હતું.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy