SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંત્રાધિરાજ તેત્ર ૩૩૭ ૧૨. (૧૦૭) સંતરા–સર્વ જીવાજીવાદિ તત્વને પ્રકાશ-ઉપદેશ કરનાર હોવાથી તે તોના ઈશ્વર. (૧૦૮) શિવશ્રીઊંચા ––મોક્ષ લક્ષ્મીના સુખને આપનાર. આ પ્રમાણે સર્વ વસ્તુના જાણનાર અને જગતના ગુરૂ એવા શ્રી પાર્શ્વનાથપ્રભુના ઉચ્ચ ૧૦૮ નામ આ સ્થળે જણાવ્યાં છે. (૧૫) પરમ પવિત્ર, ધ્યાન કરવા યોગ્ય, પરમ આનંદના દેનાર, હમેશાં ભુક્તિ તથા મુક્તિના આપનાર અને મંગળના આપનાર આ ૧૦૮ નામ (પાર્શ્વનાથ પ્રભુના) જાણવાં. (૧૬) શ્રીમત–ઉચ્ચ કલ્યાણ અને સિદ્ધિના આપનાર, ઉત્કૃષ્ટ લક્ષ્મીવાળા એવા શ્રીમાન પાર્શ્વનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. (૧૭) ધરણેન્દ્રની ફણારૂપ છત્રથી અલંકૃત, અને પદ્માવતી દેવીથી અધિષ્ઠિત છે શાસન જેઓનું એવા શ્રી પાર્શ્વનાથપ્રભુ તમોને મેક્ષ લક્ષ્મી આપે. (૧૮). [ હવે યંત્ર બનાવવાની વિધિનું વર્ણન કરે છે.] કમલની મધ્યમાં રહેલા, કેવળજ્ઞાનરૂપી સૂર્યવાળા જગતના ઈશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ૩% હૈં વસ્ત્ર આ આ બીજાક્ષર સહિત ધ્યાન ધરવું. (૧૯) ડાબી બાજુ પદ્માવતી, જમણી બાજુ ધરણેન્દ્ર અને આજુબાજુ મંત્રરાજના અક્ષરોથી યુક્ત અષ્ટદલ કમલ કરી તે આઠે દલમાં ન અરિહંતાળ આદિ પાંચ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ લખવા. એ [ આઠે પદો] ધર્મ, અર્થ અને કામને આપનાર થાય છે.( ૨૦-૨૧ ) પછી સુંદર ૧૬ સેળ પાંખડીના બનાવેલા ખાનામાં ૧૬ વિદ્યાયંત્રની આકૃતિ માટે જુઓ આ સાથે આપેલો “ચિંતામણિ યંત્ર.”
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy