SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ નૈનસ્તોત્રજો [૩૩ મહ૦ કલ્યાણ આ પ્રમાણે એમની પરંપરા વિસ્તૃત અને વિદ્વતાસંપન્ન હતી. મને મળી આવ્યા એટલાને મહે ઉલ્લેખ કર્યો છે. અન્ય વિદ્વાને. વધુ પ્રકાશ પાડશે તે તેમને આભાર માનીશ. પ્રસ્તુત વિભાગના પૃ. ૨૧૭ ઉપર આપેલ કમળ શબ્દ લેષમય શ્રી પાર્શ્વજિનસ્તવન સિવાય શ્રીહેમવિમળસૂરિની કઈ પણ કૃતિ હજુ સુધી મારા જાણવામાં કે જોવામાં આવી નથી, તેઓ ઉગ્ર વિહારી, મહાતપસ્વી અને પ્રભાવક હતા. વાચકનો સુગમતા ખાતર ઉપરોક્ત સર્વ મુનિઓની પરંપરા વૃક્ષરૂપે સાથેના કાઠામાં આલેખવામાં આવી છે– ૩૨ આનંદમાણિકય આ મહાત્મા નં. ૩૧માં દર્શાવેલા હેમવિમળમૂરિના શિષ્ય હતા. હેમવિમળસૂરિનો જન્મ સં. ૧૫૨૨માં અને સ્વર્ગવાસ સ. ૧૫૮૩માં થયો હતો તેથી એમને પણ સત્તાકાળ એજ હોઈ શકે. એમની અન્યકૃતિ ઓ વગેરે હજુ સુધી કયાંય મારા જેવામાં કે જાણવામાં નહી આવવાથી વિશેષ પરિચય આપવાનું બની શકે તેમ નથી. ૩૩ મહેપાધ્યાય કલ્યાણવિજય જન્મસ્થળ લાલપુર૪૭. પિતા હરખાશાહ૧૪૮. માતા પુછ૪૯. સં. ૧૬૦૧ના આ વદિ ૫ શનિવારે જન્મ. નામ ઠાકરશી ૧૪૭ ગૂર્જર દેશના પલખડી નગરમાં પ્રાગુવાટવંશીય સંધવી આજડ રહેતો હતો. તેને પુત્ર સંધવી ઝીંપુર (!) હતો તેને બે પુત્ર થયા તેમાં રાજસી નામને પુત્ર અતિ ઉદાર હતો. તેને પુત્ર થિરપાળ નામે હતે આ વખતે ગુજરાત દેશમાં મહમૂદ (પહેલો બેગડે. ઇ. સ. ૧૪૫૯-૧૫૧૩ ) નામને સુલતાન રાજય કરતા હતા તેની પાસે થિરપાળ ગયો અને સુલતાને બહુ માન આપી તેને લાલપુર ગામ ભેટ આપ્યું. ત્યાર પછી તે ત્યાં રહેવા લાગ્યા. સં. ૧૫૬૩ માં.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy