SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તોત્રો [ ૨૬ મુનિસુંદરવિવેકસાગર–એમણે હરિશબ્દગર્ભિત વીતરાગ સ્તવન રચ્યું. મેરૂરત્નગણિ–એમના શિષ્ય સંયમમૂર્તિએ લખેલી એક પ્રત ઉપર નીચે મુજબ ઉલ્લેખ નજરે પડે છે 'लिखीतं श्रीवटपद्रनगरे श्रीसोमसुन्दरशिशिष्य श्रीविशालराजसूरितच्छिष्य पं. मेरुरत्नगणि-तच्छिष्याणु संयममूर्तिगणिना। કુશલચારિત્ર–એમના શિષ્ય રંગચારિત્રે સં. ૧૫૮૯માં લખેલી ક્રિયાકલાપની પ્રતિ આ. તિ. વિ. જી. મ પુ. ચાણસ્મામાં છે. (પ્ર પૃ. ૯૧). સુધાભૂષણ–એમના શિષ્ય જિનસૂરે સં. ૧૫૦૫ની આસપાસ ગૌતમપૃછા બાલાવબોધ, ઉવસગ્ગહરં સ્તોત્રના મહાત્મને દર્શાવનાર પ્રિયંકરપડ્યા. (પ્ર. શારદાવિજય જૈન ગ્રંથમાળા, તથા છે. દે. લા. પુ. ફં. સુરત થાંક ૮૦) તથા રૂપસેન ચરિત્ર વગેરે રચ્યાં. સુધાભૂષણના અન્ય શિષ્ય કમળભૂષણગણિ શિષ્ય મુખ્ય પં. વિશાલસૌભાગ્યગણિએ સં. ૧૫૯૫માં લખેલી કલ્પસૂત્રની પ્રતિ સિનેર જૈન જ્ઞાનભંડારમાં છે. સિદ્ધાંતસ્તવવૃત્તિ (પ્ર. કાવ્યમાળા. ગુ. ૭), વાગભટાલંકારવૃત્તિ, અને સં. ૧૫૧૨માં રચાયેલી વીતરાગસ્તત્રપજિકા (પ્ર. છે. દે, લા. પુ. ફ) પર સ્પષ્ટ નામ નિર્દેશ નહિ હોવાથી હજુ અનિશ્ચિત રહે છે. પં. શિવસમુદ્ર—એમના શિષ્ય પં. હેમમંગળગણિએ સં. ૧૫૧૭માં લખેલી શ્રી નેમિનાથ ચરિત્રની પ્રતિ જૈનસંઘ જ્ઞાન ભંડાર (પાટણ)માં છે. (જુઓ. પ્રશ. પૃ. ૨૨) * એમના પ્રતિષ્ઠા લેખો સં. ૧૫૦૧ ના. ૧, સં. ૧૪૮૮– ૧૫૦૦–૧૫૦૧ ના. ૨, સં. ૧૪૯૭–૯–૧૫૦૦-૧૫૦૧ બુ. ૧, સં. ૧૪૮૯-૯૯-૧૫૦૧ બુ. ૨. આઠ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy