SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકાદિ ધર્મસાહિત્યની દષ્ટિએ, રામચંદ્ર વિરચિત અલંકારાલંત કાવ્ય કાવ્યાલંકારની દૃષ્ટિએ, શ્રી મહાવીર કલશ વિગેરે અપભ્રંશભાષાની દષ્ટિએ, ખ પરિશિષ્ટમાં આવેલ વર્ધમાન પત્રિશિકા છન્દ સૌન્દર્યની દૃષ્ટિએ, અને ગ તથા “ઘ પરિશિષ્ટમાં આપેલ શ્રી પટૂમાવતી-અષ્ટક, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, તથા દેઉલવાડા–મંડન શ્રી યુગાદિ દેવ સ્તવન મન્ત્રપ્રભાવવિધિની દૃષ્ટિએ,–એમ સાહિત્ય વિષયક જૂદી જૂદી રૂચિના વાંચકોને આહલાદજનક આ સ્તોત્રોની રચના થએલી છે. આ કાવ્યોમાં કઈક સ્થળે વિશિષ્ટ પદલાલિત્ય છે, કેક સ્થળે વિશિષ્ટ છનન્દન છે. કેઈક સ્થળે વિશિષ્ટ રચના-રમણીયતા છે, કેઈક સ્થળે વિશિષ્ટ ગુણાલંકાર- વિભણ છે, કાઈક સ્થળે વિશિષ્ટ ચિત્રકાવ્યોલ્લાસ છે, તો કોઈક સ્થળે વિશિષ્ટ ભક્તિમયતા કે કવિતા પ્રકાશ છે. અને આ બધું સાચેજ વિદ્વાનોના અન્તરમાં અત્યન્ત આનન્દ ઉત્પન્ન કરવા સાથે પ્રાચીન જૈન સાધુઓ પ્રત્યે નિર્મળ માન ઉત્પન્ન કરે તેમ છે. અને આ કાવ્યમાં બીજી જે જે ચમત્કૃતિ વગેરે છે, તે વિદગમ્ય હોઈને તે વિષેને અભિપ્રાય તેઓ જ સ્વયં બાંધી અને આપી શકે છે. છતાં આ વિષે વિશેષ જાણવાજોગ તો પ્રસ્તુત સંપાદકની સુવિસ્તૃત પ્રસ્તાવનામાંથી મળી રહે તેમ છે. તેઓશ્રીએ સ્તોત્રોના કર્તાઓ વિગેરેની કરેલી ઐતિહાસિક ચર્ચા તે વિષયમાં નવીન પ્રકાશ પાડે છે. પ્રસ્તુત સંગ્રહમાં અપાતાં કાવ્યોના રચયિતા માટે ભાગે બાલ દીક્ષિત છે. જૈન શાસનના ધર્મધુરંધરે મોટે ભાગે બાલદીક્ષિત છે. બાલદીક્ષા, એ તો મહાપુરૂષોને ઉત્પન્ન કરનારી ખાણ છે. પૂર્વભવના શુભ સંસ્કાર હોય, ધમાં માતાપીતાના વાતાવરણમાં એ સંસ્કાર તાઝગી પામ્યા હોય અને ચારિત્રના પરિપાલન તથા સદ્દગુરૂના સતત સહવાસમાં અભ્યાસ થતું હોય, ત્યાં આદર્શ સંસ્કારે વિકસે અને વિદ્વત્તા વાસ કરે એમાં નવાઈ જેવું પણ શું છે? જગતના દુઃખનું મૂળ તૃણું છે અને એ તૃષ્ણને સાધુ પુરૂષોએ પ્રથમથી જ ત્યાગ
SR No.002613
Book TitleJainstotrasandohe Part 1
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1932
Total Pages662
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy