________________
પ્રાચીન કાળમાં, જ્યાં વિદ્યારસિકામાં વાદવિવાદ ચાલતા, જ્યારે પદે પદે વિદ્વત્તાની જરૂર પડતી, જ્યારે કાવ્યકલા રાજા અને પ્રજા ઉભય માટે રસિક્તા ભરી હતી, ત્યારે એ પરસ્પર સ્પર્ધાના કાળમાં લખાએલાં કાવ્યોનું પદલાલિત્ય, શબ્દગુથણી તેમજ રચનાકળા ખૂબ ખૂબ ખીલતાં એમ કાવ્યના અવલોકનથી જણાય છે. આવાં કાવ્ય એ સમાજની મેંઘી સંપત્તિ છે, પરંતુ છેલ્લા સૈકાએમાં કાલપ્રભાવે અને જનતાની જડવાદ તરફની વૃત્તિ-પ્રવૃત્તિના કારણે આ સમૃદ્ધિને હાર થવા લાગ્યા છે. નવીન રચનાઓ થવી તે દૂર રહે, પરન્તુ જુની પણ પૂરી સચવાઈ નથી. છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાનમાં તેના ટુંકા સંગ્રહ પ્રસિદ્ધ થવા છતાં, એ તે બહુજ અધુરા છે–તદ્દન અલ્પ છે. જૈન સ્તોત્ર સાહિત્ય તે ખૂબજ વિશાલ છે. અને એ સ્તોત્રસાહિત્યનું સંરક્ષણ થાય, એ સ્તોત્રસાહિત્ય ભંડારેની પેટીઓમાંથી ભક્તોની જીભે ને વિદ્વાનની દષ્ટિએ ચઢે, એ અમર કા દ્વારા અમરતા પ્રાપ્ત કરી ગએલા પુણ્ય પુરૂષનું અમર નામ વધુ ઉજ્વલ બને, અને એ બધાય કરતાં આત્મા આવી પ્રવૃત્તિ દ્વારા પિતાનું કલ્યાણ સાધી શકે, એ જ કારણથી આ સ્તોત્રસંગ્રહ પ્રસિદ્ધ કરવાની ભાવના થએલી પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી મ. હારાજાએ એ ભાવનાને ખૂબ પુષ્ટ કરી. અને પૂ. ચતુરવિજયજી મહારાજની શબ્દાતીત સહાયથી આજ પ્રત્યક્ષરૂપે એ ભાવના ફળી.
પ્રસ્તુત ગ્રંથમાં પંડિત પ્રવર વાદિગજકેસરી ભગવાન હેમચંદ્રસુરીશ્વરજી, તેમજ શ્રી રામચંદ્ર-અમરચંદ્ર-હરિભદ્રસૂરિજિ. નભદ્રભદ્રબાહુ સ્વામિ-ધમઘાષ-ધનપાલ કવિ–અને શ્રી શ્રીપાલ પ્રમુખ તપખરતરગચ્છીય કવિવરનાં અત્યાર સુધી અમુદ્રિત રહેલાં સ્તોત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ સ્તોત્રની રચનાઓ પણ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ થએલી જણાય છે. જેમકે–કોષની દષ્ટિએ અહંનામ સહસ્ત્ર અને અષ્ટોત્તર શત નામ સરસ્વતી પ્રમુખ સ્તે. ત્રિશત-ચતુર્વિશતિકા સ્તવ અને દ્વાદશાંગી પદ પ્રમાણ