SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં વિકટાક્ષીદેવીએ ઉપદ્રવ શરૂ કર્યો. હિંસકદેવીએ બલિદાન માંગ્યું પણ ધનવાહ શેઠે દેવીની વાત ગણકારી નહીં, શ્રી ભકતામર સ્તોત્રનો પાઠ શરૂ કર્યો. માત્ર એ સ્તોત્રના ૪૦ મા શ્લોકના પાઠથી જ વિકટાક્ષીના બધા ઉપદ્રવો નિષ્ફળ ગયા દેવી પણ ધનવાહ શેઠના વ્રત પાલનથી ખુશ થઈ અને પોતે પણ શેઠના વચનથી હંમેશા જીવ હત્યા છોડી દીધી. શેઠે પણ ચક્રેશ્વરીદેવી સહિત આદીશ્વર ભગવાનનું મંદિર બનાવ્યું. * "રોગ-નિવારણ રહસ્ય” * પ્રભાવ કથા-૨૦: ઉજજયિની નગરીના રાજશેખર રાજાના પુત્ર રાજહંસની આ રમણીય કથા છે. દ્રઢ ધર્મ શ્રદ્ધાળુકર્મ વિપાકને સમજનારી, માનગિરીના રાજાની પુત્રી કલાવતીની મહાનું શ્રદ્ધાની આ કથા છે. પિતાની દુર્બુદ્ધિના કારણે કલાવતીના લગ્ન રાજહંસ સાથે થયા. રાજહંસને પણ પોતાની અપરમાતાએ મહાન રોગ થાય તેવું ભોજન કરાવી દીધું હતું. પણ કલાવતીએ ૪૧ મા શ્લોકનો પાઠ કર્યો ચક્રેશ્વરીદેવીએ ચમત્કાર કરી રોગ-નિવારણનો ઉપાય બતાવ્યો. રોગ દૂર થયો. ધનની પણ પ્રાપ્તિ થઈ અને કલાવતીની મહાન્ ધર્મ શ્રદ્ધાનો વિજય થયો. અત્રે દેવી એ પોતે રોગ દૂર કરતાં રોગ દૂર કરવાનો ઉપાય સૂચવ્યો એ પણ ધ્યાન રાખવા જેવું છે. આ ગાથાનો પાઠ કરવાથી રોગ મટી જાય એનો અર્થ ત્યાં સુધી પણ સમજી શકાય છે કે યોગ્ય ઔષધ પણ અનાયાસે પ્રાપ્ત થઈ જાય અને રોગ જતો રહે. * "જપ-સંખ્યા રહસ્ય” * - પ્રભાવ કથા-૨૮ : દિલ્હી પર જલ્લાલુદ્દીનનું રાજ્ય ચાલતું હતું તે વખતની આ વાત છે. અજમેર દુર્ગ પાસેના નાના ગામના રાજપુત્ર રણપાલને અજમેરના મીરે ગુન્હામાં લીધો. રણપાલને પોતાના પુત્ર સહિત પકડીને દિલ્હી મોકલી દીધો. દિલ્હીના કારાગૃહમાં પિતા-પુત્ર ફસાઈ ગયા. પણ રણપાલ સરલ પરિણામી હતો. જૈન સાધુઓના સત્સંગમાં આવ્યો હતો. નવકાર મંત્ર અને ભકતામર સ્તોત્ર પર તેની અટલ શ્રદ્ધા હતી. કેદમાં પણ તેને આ ૪૨ મી ગાથાનો જાપ ચાલુ રાખ્યો. તન્મય થઈને જાપ કરતાં રણપાલ દસ હજાર જાપ સુધી પહોંચ્યો. તુરત જ કોઈક દેવી પ્રત્યક્ષ થઈ. આવા સમયમાં દેવીને જોઈ રણપાલ આશ્ચર્ય ચકિત થયો. રણપાલે દેવીને પોતાનું સ્વરૂપ કહેવા વિનંતી કરી. દેવીએ ભકતામર સ્તવનું સ્મરણ કરનારનું રક્ષણ કરનારી તથા આદીશ્વર જિનની ભકતા ચક્રેશ્વરીદેવીની સેવિકા દેવી હોવાનું જણાવ્યું. રણપાલ પ્રસન્ન થયો અને દેવીની સૂચના વડે બંધન મુક્ત થયો. અજમેર છોડીને ચિત્રકૂટમાં પોતાના પરિવાર સાથે આવીને આનંદથી રહ્યો. ગરૂડવાહના દેવી ચક્રેશ્વરી આ સ્તોત્રની મહાન અધિષ્ઠાયિકા છે અને આજે પણ પોતાની સેવિકા દેવીઓ દ્વારા ચમત્કાર સર્જે છે. ભકતામર સ્તોત્રના અનેકાનેક ચમત્કારિક અનુભવો કરી મહાનુભાવો શ્રદ્ધાળુ આત્માઓ પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. આમ ભકતામર સ્તોત્રની ૨૮ કથાથી આપણે દૈવી દુનિયા અને દૈવી પ્રભાવ વિષે ધણું ધણું સમજી શકીએ તેમ છીએ. આ છેલ્લી કથામાં ૪૨ મી ગાથાના પાઠની સંખ્યા ૧૦,000 હજારને ધ્યાનમાં રાખવા જેવી છે. આરાધના માટે જાપની સંખ્યાની પૂર્તિ થવી તે પણ જરૂરી છે. શ્રદ્ધા - ભકિત અને એકાગ્રતાથી આ ભકતામર સ્તોત્ર સહુને પ્રેયની પ્રાપ્તિ કરાવીને પણ શ્રેય અર્પવાની મહાન ક્ષમતા ધરાવે છે. અઠ્ઠાવીસ – અઠ્ઠાવીસ મહાન પ્રભાવ કથાઓના રહસ્યનું અહીં દર્શન કરાવવામાં આવ્યું. આ કથાઓ આપણા રોમાંચ ખડા કરી દે છે. આજ દિવસ સુધી પણ શ્રી ભકતામર સ્તોત્રના આવા અદૂભૂત ચમત્કારો થયા જ કરે છે. આમ, ભકતામર સ્તોત્રમાં મંત્રો અને વિદ્યાઓના તેમજ યંત્રો અને તંત્રોના અનેક રહસ્યો છે. પૂ. આચાર્ય ગુણાકરસૂરિજી મહારાજે પોતાની ટીકામાં આવા ધણા રહસ્યો બતાવ્યા છે. તે જ રીતે જેઓને પદ્માવતી માતાની કૃપાથી સ્વપ્નમાં વીશાયંત્રનો ભાસ થયેલ છે તેવા અનેક મહાન મંત્ર શાસ્ત્રના વેત્તા શ્રી મેધવિજયજી ઉપાધ્યાય શ્રી ભકતામર સ્તોત્રની પહેલી અને છેલ્લી ગાથામાં સ્તોત્ર અધિષ્ઠાયિકા ચક્રેશ્વરીદેવીના બીજાક્ષર “''નું રહસ્ય ખોલે છે... જે ગુરૂગમથી જાણી લેવું... ATE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy