SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉત્તર આ પ્રમાણે છે.૪૧ ત્યારપછી ૩૮થી ૪૬ શ્લોકોમાં મુનિએ બ્રહ્મગુપ્તિવાળા મુનિઓનું વર્ણન કર્યું છે તે સાંભળીને રાજા પરમાત્ બને છે. નોંધ -અધ્યયન ૬ | ગાથા – પની ટીકામાં છેલ્લે કહ્યું છે કે મિત્રાન્તરે થાવતિ નથી પ્રક્ષેપરૂપા યા | યોષ્ટીયો-વ્યાધ્યતિત્વનું છે ત્યારપછી થાવર જંગમ.. ગાથા આપેલ છે. આ પ્રમાણે અધ્યયન ૬ | ગાથા-૬ પ્રક્ષેપરૂપ જાણવી. આ રીતે “ઉત્તરઝયણાણિ’–ભાગ ૧માં ૧થી ૧૬ અધ્યયનો લીધેલા હોવાથી અહીં ૧થી ૧૬ અધ્યયનોમાંથી વાનગીરૂપ કેટલાક પદાર્થોને આરોગવાથી મધુર શાંત રસનો આસ્વાદ થવાથી અહીં તે પદાર્થોની આંશિક ઝાંખી કરાવેલ છે, તેને આરોગવાથી સૌ કોઈ લઘુકર્મી ભવ્યજીવોને પણ મધુર-શાંતરસના આસ્વાદની અનુભૂતિ થાય એ જ શુભ ભાવનાથી આ પ્રયાસ કરેલ છે. ઉત્તરાધ્યયન એક યોગગ્રંથ – આ ઉત્તરાધ્યયન ગ્રંથ એક યોગગ્રંથ છે. આ અંગે ભગવાન્ પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ શ્લોક-૧ની ટીકામાં જણાવે છે કે, “મિત્યુતે ? वक्ष्ये-अभिधास्ये-'योग' मित्रादिलक्षणं 'समासेन'-संक्षेपेण विस्तरेण तु पूर्वाचायैरेवायमुक्तोऽप्युत्तराध्यनयोगनिर्णयादिषु 'तदृष्टिभेदतः' इति योगदृष्टिभेदेन" । - યોગદષ્ટિ ગ્રંથમાં મિત્રાદિલક્ષણ યોગ સંક્ષેપથી છે એનો વિસ્તાર ઉત્તરાધ્યયન અને યોગનિર્ણય આદિ ગ્રંથોમાં છે એમ પૂર્વાચાર્યોએ જ કહ્યું છે. આ પ્રમાણે સુરિપુરંદરશ્રીના વચનથી પણ આ ઉત્તરાધ્યયન ગ્રંથમાં વિસ્તારથી યોગમાર્ગનું સાંગોપાંગ વર્ણન છે. એકેક અધ્યયનોને પૂર્વાપર કથન સાથે યોજીને આ ગ્રંથનું સાંગોપાંગ વાચન કરવામાં આવે તો સંપૂર્ણ મોક્ષમાર્ગનો બોધ આ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે, અને જેમ જેમ સબોધ પ્રાપ્ત થતો જાય તેમ તેમ સદ્દચિ વધુ નિર્મળ-નિર્મળતર બનતી જાય અને સબોધ અને સચિ દ્વારા સત્પરિણતિની પ્રાપ્તિ થયા વગર રહે નહિ. ઉપકારસ્મૃતિ : પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજય હાલારના હીરલા આચાર્યભગવંત શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજાની પ્રેરણાથી આ પૂજ્ય ઉપાધ્યાય ४१. "खंतस्स दंतस्स जिइंदियस्स अज्झप्पजोगे गयमाणसस्स । किं मज्झ एएण विचिंतिएण? सकुंडलं वा वयणं नव त्ति" ॥ - अ० १६ गा० १७ वृत्तौ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy