SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રમાદાપ્રમાદ :- ત્રીજામાં ચાર દુર્લભ અંગો કહ્યા તે પ્રાપ્ત થવા છતાં પ્રમાદ સેવાય તો મહાદોષ થાય છે, તેથી તેના પ્રકાર સહિત પ્રમાદનો ત્યાગ કરવા માટે અને અપ્રમાદ કરવાનું કહેવા માટે આ અધ્યયન છે. ૫. અકામમરણ :- મરણવિભક્તિ જ્યાં સુધી શરીરનો ભેદ-નાશ થાય ત્યાં સુધી ગુણની અભિલાષા કરવી એમ ચોથાને અંતે કહ્યું, તેથી મરણકાળે પણ પ્રમાદ ન કરવાનું કહ્યું છે માટે મરણ કેટલા પ્રકારના છે, તે અકામરણ, સકામમરણ, પંડિતમરણ વગેરે જાણવા માટે આ અધ્યયન છે. ૬. ક્ષુલ્લકનિગ્રંથીય - પંડિતમરણ વિદ્યા-જ્ઞાન તથા ચારિત્રવાળા સાધુ-નિગ્રંથને હોય છે. તેથી તેવા ક્ષુલ્લક-નાના સાધુનું સ્વરૂપ આમાં કહ્યું છે. ૭. ઔરબ્રીય – નિગ્રંથપણું રસમૃદ્ધિના ત્યાગથી પ્રાપ્ત થઈ શકે, ને તે ત્યાગ તેના દોષ જાણવાથી બરાબર થઈ શકે, તે દોષ દેખાડવા માટે ઉરભ્ર(ઘેટું) કાગણી, આમ્રફળ, વ્યવહાર-વેપાર અને સમુદ્ર એ પાંચના દષ્ટાંતો આપે છે. ૮. કપિલીય – રસગૃદ્ધિનો ત્યાગ નિર્લોભીને થઈ શકે, તેથી આમાં નિર્લોભપણું બતાવે છે. તેમાં કપિલમુનિનું ચરિત્ર હોવાથી તે અધ્યયનું નામ કાપિલીય છે. ૯. નમિપ્રવ્રજ્યા – નિર્લોભી આ ભવમાં પણ ઇંદ્રાદિથી પૂજાય છે, તે દેખાડવા આ અધ્યયન કહેવાય છે. આમાં નમિનામના પ્રત્યેકબુદ્ધની પ્રવ્રજ્યા-દીક્ષાનું વર્ણન છે. તે નમિની પેઠે બીજા ત્રણ પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ અને નગ્નતિ થયા છે તેનું પણ વર્ણન છે. ૧૦. દ્રુમપત્રક – દ્રુમ એટલે ઝાડનું, પત્ર એટલે પાંદડું પાકી જતાં પડી જાય છે, તેમ જીવન ક્રમે કરી ક્ષીણ થાય છે માટે હે ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એ પ્રકારથી ભગવાન મહાવીર પરમાત્મા અનુશાસન-શિક્ષા આપે છે. ૧૧. બહુશ્રુતપૂજા :- દશમામાં પ્રમાદના ત્યાગનો જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ વિવેકથી ધારી શકાય ને તે વિવેક બહુશ્રુતની પૂજાથી પ્રાપ્ત થાય છે. આમાં અબહુશ્રુતપણું અને બહુશ્રુતપણું સમજાવી તે શાથી પ્રાપ્ત થાય તે અવિનીત-વિનીતનાં સ્થાનો વગેરે બતાવેલ છે. ૧૨. તપ-સમૃદ્ધિ-હરિકેશીય :- બહુશ્રુતે તપ પણ કરવો જોઈએ, તેથી તપની સમૃદ્ધિનું વર્ણન ને હરિકેશબલ નામના સાધુનું આમાં ચરિત્ર છે. ૧૩. ચિત્રસંભૂતીય – તપ કરનારે નિદાન (નિયાણા)નો ત્યાગ કરવો ઘટે, તે માટે નિદાનનો દોષ બતાવવા ચિત્ર અને સંભૂતનું ઉદાહરણ અહીં અપાય છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy