SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક પjથ પરિયય : - પરમતારક શ્રીવીરવિભુના શાસનના આરાધક શ્રી ચતુર્વિધ સંઘ માટે એ પરમાત્માએ અર્થથી પ્રરૂપિત અને શ્રી ગણધર ભગવંતોએ સૂત્રથી ગૂંથિત અને ત્યાર બાદ ચૌદ પૂર્વધરાદિ સ્થવિર શ્રુતધરોએ સૂત્રિત કરેલ જિનવચનને આગમ કહેવાય છે. આ આગમ ગ્રંથો સંસારસમુદ્ર તરવા માટે પ્રબળ પ્રવહણ સમાન છે. જે પુણ્યાત્મા એકવાર આ પ્રવહણમાં સવાર થઈ જાય તે સંસારસમુદ્રના અંતરૂપ મોક્ષને પામનારો બને છે. અંગ-ઉપાંગાદિ વિભાગોમાં વિભક્ત પ્રભુવાણીરૂપ આ આગમ પ્રવહણમાં વર્તમાન સમયમાં ૪૫ આગમો મુખ્ય ગણાયાં છે. એમાં અગ્યાર અંગ, બાર ઉપાંગ, છ છેદસૂત્ર, ચાર મૂળસૂત્ર, બે ચૂલિકા સૂત્ર અને દસ પન્ના સૂત્રોનો અંતર્ભાવ કરાયો છે. આ દશ પન્ના જ “પ્રકીર્ણક’ યા “પઈણય' રૂપે પ્રસિદ્ધ છે. પયન્ના ગ્રંથો માટે એવો વૃદ્ધવાદ છે કે એ ગ્રંથો પ્રભુવીરના મુખરૂપી હિમાચલમાંથી જે શ્રુતગંગા નિઃસૃત થઈ તેના અંશોનો સંગ્રહ કરીને પ્રભુવીરના એક-એક સ્વહસ્તદીક્ષિત શિષ્યવરે બનાવેલાં છે. પ્રત્યેક તીર્થકરોના શાસનમાં પણ તે-તે તીર્થકરોના સ્વહસ્તદીક્ષિત સર્વ શિષ્યો પ્રકીર્ણક ગ્રંથોની રચના કરે છે, આ એક નિશ્ચિત ક્રમ ગણાયેલો છે. ' ( ૪૫ આગમગ્રંથમાં જે દશ પયગ્રાનો સમાવેશ થાય છે તે પૈકી પ્રથમ હતું શ્રી ચતુઃ શરણ પ્રકીર્ણક. જેનું વિવિધ ટીકાઓ આદિ સાથે પ્રકાશન અમારા દ્વારા આ પૂર્વે થઈ ચૂકયું છે. બીજા ક્રમે આવે છે, “આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક’ આ પ્રકીર્ણકનો સામાન્ય પરિચય આપવો અસ્થાને ન જ ગણાય. આના કર્તા છે પ્રભુવીરના સ્વહસ્તદીક્ષિત શિષ્યરત્ન શ્રી વીરભદ્ર નામના આચાર્ય મહારાજા ! ગણધર ભગવંતોના પગલે પગલે ચાલીને એમણે ભુવનગુરુ ભગવાન શ્રી મહાવીરદેવની હિતવાણીના પ્રકાશનનો પ્રશસ્ત પુરુષાર્થ કર્યો છે. ional 2010
SR No.002562
Book TitleAgam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra
Original Sutra AuthorVeerbhadra Gani
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2010
Total Pages400
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, & F020
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy