SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ५३ ટીકાકારશ્રીનો પરિચય સ00 સરેરાશ "विष-विनिधूय कुवासनामयं, व्यरीरचद् यः कृपया मदाशये । __ अचिन्त्यवीर्येण सुवासना-सुधां, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ।।" ભાવાર્થ : અચિંત્ય શક્તિશાળી જેમણે કૃપા વડે કુવાસનામય વિષ દૂર કરીને મારા અંતઃકરણમાં સુવાસના રૂપી અમૃત સંચારિત કર્યું, તે શ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર થાઓ. “જેમણે ભવિષ્યકાળનું જાણીને મારા માટે જ જાણે ચૈત્યવંદન-સંબંધી લલિત વિસ્તરા વૃત્તિ રચી હતી.” | વિક્રમની ૧૧મી સદીમાં વિ.સં. ૧૦૫૫માં વર્ધમાનસૂરિ હરિભદ્રસૂરિના ઉપદેશપદ પ્રા. ગ્રંથની વ્યાખ્યા રચતાં તેમની પ્રશંસા કરી છે. માળવાના મહારાજા મુંજ અને ભોજના માનનીય રાજમાન્ય કવિ ધનપાલે સં. તિલકમંજરી કથાના પ્રારંભમાં જણાવ્યું છે કે - "निरोध्धुं पार्यते केन, समरादित्यजन्मनः ? । પ્રશમસ્થ વપૂત, સમરાચિનનન: ” ભાવાર્થ સમરાદિત્ય (ચરિત)થી ઉત્પન્ન થયેલ પ્રશમને વશ થયેલું મન કોના વડે અટકાવી શકાય ? વિ.સં. ૧૦૮૦માં જિનેશ્વરસૂરિએ શ્રી હરિભદ્રસૂરિના અષ્ટક પ્રકરણ પર વૃત્તિ રચતાં જણાવ્યું છે કે – "सूर्यप्रकाश्यं क्व नु मन्डलं दिवः, खद्योतकः क्वास्य विभासनोद्यतः । क्व धीशगम्यं हरिभद्र-सद्वचः, क्वाधीरहं तस्य विभासनोद्यतः ।।" ભાવાર્થ : સૂર્ય વડે પ્રકાશ કરવા યોગ્ય આકાશનું મંડલ ક્યાં ! અને એને પ્રકાશિત કરવા તત્પર થયેલ ખદ્યોત (તગમગતો ખજૂઓ) ક્યાં ! તેવી રીતે બૃહસ્પતિ જેવાથી જાણી શકાય એવું હરિભદ્રનું સચન ક્યાં ! અને તેને પ્રકાશિત કરવા તત્પર થયેલ બુદ્ધિહીન એવો હું ક્યાં ! નવાંગી-વૃત્તિકાર અભયદેવસૂરિએ વિ.સં. ૧૧૨૪માં શ્રી હરિભદ્રસૂરિના પ્રા. પંચાશક ગ્રંથ પર સં. વ્યાખ્યા રચતાં હરિભદ્રસૂરિની વિદ્વત્તાની ઘણી પ્રશંસા કરી છે. | વિ.સં. ૧૧૬૦માં સુપ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રના ગુરુ શ્રી દેવચંદ્રસૂરિએ રચેલા બાર હજાર શ્લોક પ્રમાણ પ્રાકૃત શાંતિનાથ ચરિત મહાકાવ્યમાં જણાવ્યું છે કે – "वंदे सिरिहरिभदं, सूरिं विउसयण-णिग्गय-पयावं । ને ય વેદાન્યો, સમર ડ્રડ્યો વિમવિ ” ભાવાર્થ : વિદ્ધગણમાં જેમનો પ્રતાપ નીકળ્યો છે, તે શ્રી હરિભદ્રસૂરિને હું વંદન કરું છું, જેમણે સમરાદિત્યનો કથા પ્રબંધ રચ્યો છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002559
Book TitleDhyanashatakam Part 1
Original Sutra AuthorJinbhadragani Kshamashraman, Haribhadrasuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages302
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy