SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા અને રચનાકાળ : આના કર્તા ખરતરગચ્છના પૂજ્ય આચાર્યભગવંત શ્રીઅભયદેવસૂરિમહારાજાના શિષ્ય પૂજ્ય ચન્દ્રપ્રભમહત્તર છે. તેમણે પોતાના શિષ્ય વીરદેવની વિનંતીથી વિ.સં. ૧૧૨૭માં આ કૃતિની રચના કરી હતી. ગ્રન્થના અંતે આપવામાં આવેલી નીચેની પ્રશસ્તિમાંથી આ વસ્તુ જાણવા મળે છે— “મુાિમરુદંડ ( ૧૧૨૭) નુપુ ાને મિરિવિઝ્મમ્સ વવૃત્તે । रइयं फुडक्खरत्थं चंदप्पहमहयरेणयं ॥ " :: ૪સ્વ. દલાલે પૂજય ચન્દ્રપ્રભમહત્તરને પૂજ્ય અમૃતદેવસૂરિ મહારાજ (નિવૃત્તિવંશ)ના શિષ્ય માન્યા છે. આ માન્યતા જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં પ્રકાશિત પ્રતિથી ખંડિત થાય છે. ગ્રંથના અંતે પ્રશસ્તિમાં આ મુજબ શ્લોક છે— "सिरिनिव्वुयवंसमहाधयस्स सिरिअमयदेवसूरिस्स । सीसेण तस्स रइयं चंदप्पहमहयरेणेयं ॥ " અહીં ‘ભયદેવસૂરિમ્સ' ના બદલે ‘સમયદેવસૂરિસ્ટ્સ' પાઠ વાંચીને આ ગ્રંથના કર્તા પૂ. ચન્દ્રપ્રભમહત્તરને પૂ. અમૃતદેવસૂરિમ.ના શિષ્ય કહ્યા છે. પરંતુ આ ગ્રંથના કર્તા પૂ. ચંદ્રપ્રભમહત્તર પૂ. અભયદેવસૂરિ મ.ના શિષ્ય છે. (જુઓ - જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવી આવૃત્તિ પૃ. નં. ૪. હીરાલાલ ૨. કાપડિયાએ પાઇય ભાષાઓ અને સાહિત્યદ્વિતીય આવૃત્તિ, પૃ. ૮૩-૮૪ ઉપર જણાવ્યું છે કે— અભયદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે પોતાના શિષ્યવીરદેવની પ્રાર્થનાથી આ વિજયચંદચરિયું વિ. સં. ૧૧૨૭માં રચ્યું છે જુઓ ‘પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાંડાગરીય ગ્રન્થસૂચી'' (ભા.૧, પૃ. ૪૧૩) એમાં આઠ પ્રકારની પૂજાના ફળના વર્ણનરૂપ આઠ કથાઓ છે અને એ તમામ કથાઓ ૧,૦૬૩ ગાથામાં ગૂંથાયેલી છે. આ કૃતિ સરળ છે. સદ્ગત દલાલે ચન્દ્રપ્રભમહત્તરને ‘અભયદેવ’ના બદલે ‘અમયદેવ' પાઠ માની અમૃતદેવના શિષ્ય ગણ્યા છે. ‘‘જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં આ કૃતિ પ્રસિદ્ધ થઈ છે. Jain Education International2010_02 For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy