SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયચન્દ્રચરિત : આ ગ્રંથમાં પંદરમાં કામદેવ જૈવિજયચન્દ્ર કેવલીનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. તેને હરિશ્ચન્દ્રકથા પણ કહે છે. કારણ કે આ ચરિત્રમાં વિજયચન્દ્ર કેવલીએ પોતાના પુત્ર હરિશ્ચન્દ્ર માટે અષ્ટવિધ પૂજા જલ, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને ફળનું માહાભ્ય આઠ કથાઓ દ્વારા દર્શાવ્યું છે. આ કૃતિના બે રૂપો મળે છે. લઘુ રૂપનો ગ્રન્થાગ્ર ૧૩) છે. બૃહદ્રૂપનો ગ્રન્યાગ્ર ૪૦૦૦ (૧૧૬૩ ગાથાઓ) છે. આ બંને રૂપો પ્રાકૃત ભાષામાં છે. તેમાંથી પ્રસ્તુત વિજયચન્દ્રચરિત બૃહદ્રૂપનો ગ્રન્થાઝ છે. આ વિજયચંદ્રચરિત્રમાં નીચે જણાવેલા ક્રમથી કથાઓ આપેલી છે. ૧. ગંધ પૂજા વિશે જયસૂરરાજાની કથા. ૨. ધૂપ પૂજા વિશે વિનયંધરની કથા. ૩. અક્ષત પૂજા વિશે કીરયુગળની કથા. ૪. પુષ્પ પૂજા વિશે વણિકસુતા લીલાવતીની કથા. ૫. દીપ પૂજા વિશે જિનમતિને ધનશ્રીની કથા. ૬. નેવૈદ્ય પૂજા વિશે હળીપુરુષની કથા. ૭. ફળ પૂજા વિષે દુર્ભાગી સ્ત્રી અને કરયુગળની કથા. ૮. જળ પૂજા વિશે વિપ્રસુતાની કથા. આ આઠ કથાઓ ઉપરાંત છેવટે પરિગ્રહ ઉપરની તીવ્ર મૂછના અત્યંત હાનિકારક પરિણામને સૂચવનારી તેમજ પશ્ચાત્તાપ વડે પાપની નિવૃત્તિનું નિરૂપણ કરનારી ઘણી રસિક સુરપ્રિયની કથા આપેલી છે. ૩. જૈનધર્મપ્રસારક સભા, ગ્રન્થ સં. ૧૬ ભાવનગર ૧૯૦૬માં, કેશવલાલ પ્રેમચન્દ્ર કંસારા, ખંભાત વિ. સં. ૨૦૦૭માં, ગુજરાતી અનુવાદ જૈનધર્મ પ્ર. સ., ભાવનગર વિ. સં. ૧૯૬રમાં, પ્રકાશિત કરવામાં આવેલ છે – જિનરત્નકોશ, પૃ. ૩૫૪. (ગુજરાતી અનુવાદ હિં. આ. ૧૯૮૦માં પણ જે ધ.પ્ર.સ. ભાવનગરથી પ્રકાશિત કરવામાં આવેલ છે.) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy